Covid-19/ બ્રાઝીલમાં કોરોનાનો મહાભરડો, અમેરિકા બાદ બીજા નંબરે પહોંચ્યો દેશ

પડોશી દેશ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાએ આજે માનવજાતિ માટે એક મોટી ચિંતા ઉભી કરી દીધી છે.

Top Stories World
ગરમી 46 બ્રાઝીલમાં કોરોનાનો મહાભરડો, અમેરિકા બાદ બીજા નંબરે પહોંચ્યો દેશ

પડોશી દેશ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાએ આજે માનવજાતિ માટે એક મોટી ચિંતા ઉભી કરી દીધી છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાંંથી સામે આવી રહ્યા છે. આ ઉપરાંત હવે બ્રાઝીલમાંથી પણ રોજ કોરોનાનાં કેસનો આંક વધતો જઇ રહ્યો છે.

ગરમી 44 બ્રાઝીલમાં કોરોનાનો મહાભરડો, અમેરિકા બાદ બીજા નંબરે પહોંચ્યો દેશ

એલર્ટ / મહારાષ્ટ્રમાં કોરોનાનો આંક જાણે કહી રહ્યો છે- ‘ડરના જરૂરી હૈ!’

અમેરિકામાં કોરોના આજે પણ ચિંતાનુ મોટુ કારણ છે, અહી હવે કુલ 3 કરોડ કોરોનાનાં કેસ છે. આ સાથે જો બ્રાઝીલની વાત કરવામાં આવે તો અહી પણ કોરોનાએ માથુ ઉચક્યુ છે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોનાં કિસ્સામાં, બ્રાઝીલ અમેરિકા પછી બીજા સ્થાને પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં ભારત બીજા નંબરે હતું. બ્રાઝીલનાં આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 નાં 85 હજાર 663 નવા કેસ નોંધાયા છે અને આની સાથે તેનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડ 13 લાખ 63 હજાર 389 થઈ ગઈ છે. જે એક ચિંતાનું મોટુ કારણ બની ગયુ છે. ત્યારે હવે આ વાયરસને કેવી રીતે માત આપવી અને બની શકે તેટલા લોકોને કેવી રીતે આનાથી બચાવવા, તેના પર બ્રાઝીલ સરકારનું ધ્યાન કેન્દ્રિત થયુ છે.  આપને જણાવી દઇએ કે, દેશમાં આ રોગચાળાને કારણે 2.75 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોવિડ-19 દ્વારા અસરગ્રસ્ત થવાની દ્રષ્ટિએ યુ.એસ. પ્રથમ ક્રમે છે, જ્યાં અત્યાર સુધીમાં 2.93 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. વળી ભારતમાં ત્રીજા નંબરે 1 કરોડ 13 લાખ 63 હજાર 389 અસર થઈ છે. વળી જો ઈટાલીની વાત કરવામા આવે તો અહી એકવાર ફરી લોકડાઉન આપવામાં આવ્યુ છે.

ગરમી 45 બ્રાઝીલમાં કોરોનાનો મહાભરડો, અમેરિકા બાદ બીજા નંબરે પહોંચ્યો દેશ

Covid-19: જો જો સાચવજો, સુરતની શાળાઓમાં કોરોનાએ મચાવ્યું તાંડવ

ભારતમાં પણ, કોરોના ફરી એક વાર વેગ પકડી રહ્યો છે. શુક્રવારે 24 હજાર 845 નવા સંક્રમિત કેસ જોવા મળ્યા હતા. જે ભારત માટે ફરી એકવાર ચિંતાનો વિષય બની ગયો છે. આ વાયરસથી 19 હજારથી વધુ લોકો શુક્રવારેે ઠીક થયા જ્યારે 140 લોકોનાં મોત થયા હતા. આ રીતે, સક્રિય કેસની સંખ્યા, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાં 4 હજાર થી વધુ દર્દીઓનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 15 હજાર 817 કેસ સામે આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ