ગુજરાત રાજ્યમાં કોરોઅના નવા કેસમાં મોટો ઘટાડો નોધાઇ રહ્યોછે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે 544 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,18,895 ઉપર પહોચ્યો છે. રાજ્યમાં આજે 11 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જે સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9976 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1505 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,96,208 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,711 છે. હાલમાં રાજ્યમાં 316 વ્યક્તિ વેન્ટીલેટર ઉપર છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 19449350 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.