દેશમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે આ આંકડો 37 લાખથી થોડોક દૂર રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 69,921 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 36,91,167 થઈ ગઈ છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 819 લોકોનાં મોત નીપજ્યાં છે, કુલ મૃતકોની સંખ્યા 65,288 પર પહોંચી ગઈ છે.
દેશમાં હાલમાં કુલ 7,85,996 કેસ સક્રિય છે. વળી, તે લોકો વિશે વાત કરીએ જેઓ આ વાયરસને હરાવીને ઠીક થયા છે, તો છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ આ વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 28,39,883 દર્દીઓ સાજા થયા છે. આઇસીએમઆર ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,32,56,374 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 9,48,460 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. રિકવરી દર સામાન્ય વધીને 77 ટકા થયો છે. તો વળી મૃત્યુ દર 1.76 ટકા થયો છે. પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ તો તે વધીને 7.37 ટકા થયો છે.
Single-day spike of 69,921 new positive cases & 819 deaths reported in India, in the last 24 hours.#COVID19 case tally in the country stands at 36,91,167 including 7,85,996 active cases, 28,39,883 cured/discharged/migrated & 65,288 deaths: Health Ministry pic.twitter.com/uQYh0ViARW
— ANI (@ANI) September 1, 2020
બીજી બાજુ, જો તમે રાજ્ય મુજબનાં આંકડા જુઓ, તો છેલ્લા 24 કલાકમાં, મહારાષ્ટ્ર (11,852) માં સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા છે. બીજો નંબર આંધ્રપ્રદેશમાં 10,004 ચેપગ્રસ્ત લોકો સામે આવ્યા છે. આ પછી, કર્ણાટકમાં 6495, તામિલનાડુમાં 5956 અને ઉત્તર પ્રદેશમાં 5956 નવા કેસ નોંધાયા છે. વળી રાજ્યવાર મોતનાં આંકડાની વાત કરીએ તો આપને જણાવી દઇએ કે છેલ્લા 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં મહત્તમ 184 લોકોનાં આ વાયરસનાં કારણે મોત થયા છે. કર્ણાટક બીજું રાજ્ય છે જ્યાં 24 કલાકમાં 113 લોકોનાં મોત નીપજ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.