@અમિત રૂપાપરા
સુરતમાં ઉનાળો શરૂ થતાની સાથે જ રોડ પીગળવાની ઘટનાઓ સામે આવી છે. ઉનાળાની ગરમીના કારણે કે પછી સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે તેની બેદરકારીને કારણે આ રોડ પીગળ્યો છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે. આ કહેવાનું કારણ એવું છે રાત્રે બનાવવામાં આવેલો રસ્તો સવારે ગરમીની શરૂઆત થતાં જ પીગળવા લાગ્યો હતો અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
આ વાત છે સુરતના અડાજણ વિસ્તારની કે, જ્યાં ધનમોરા કોમ્પ્લેક્સ પાસેથી જિલાની બ્રિજ સુધી અંદાજિત 200 મીટરનો જે રોડ તૈયાર કરવામાં આવ્યો હતો તે ગણતરીના કલાકોમાં જ પીગળવા લાગ્યો એટલે કે રાત્રિના સમયે રસ્તો બનાવવામાં આવ્યો અને સવારે 10 વાગ્યા બાદ ડામર પીગળવા લાગ્યું હતું. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લોકોના ચપ્પલ પણ આ ડામરમાં ચોંટી જતા હતા. તેથી લોકોને બુટ ચપ્પલ વગર જ આ પીગળતા રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. તો કેટલીક ગાડીઓના ટાયરોમાં પણ આ ડામર ચોંટી ગયો હોવાથી વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મહત્વની વાત કહી શકાય કે આ ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકાની ટીમને થતા જ તાત્કાલિક જ એક ટ્રક ધૂળ ડામર પર નાખવામાં આવી હતી. જો કે ધૂળ નાખવાથી પીગળેલો ડામર થોડીવાર માટે રસ્તા પર ચોટી ગયો હતો પરંતુ જેમ જેમ આ ધૂળ પરથી વાહનો પસાર થતા હતા તેમ તેમ ફરીથી ડામર પીગળવા લાગતો હતો. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તો બનાવવામાં આવ્યો છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી અતીકને લઈને નીકળી યુપી પોલીસ, માફિયાનું થયું ફરી બીપી હાઈ?
આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર બેદરકાર, શૌચાલયમાં સ્લેબના પોપડા પડ્યા
આ પણ વાંચો:ફરી સાબરમતીથી પ્રયાગરાજ લઇ જઈ રહ્યા છે માફિયા અતીક અહેમદને, હવે ખુલશે તમામ રહસ્યો?
આ પણ વાંચો:રાજકોટમાં શ્વાનનો આતંક, આધેડને બચકુ ભરતા ત્યાં જ પટકાયા, CCTV આવ્યા સામે
આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત
