Video/ રાજકોટમાં શ્વાનનો આતંક, આધેડને બચકુ ભરતા ત્યાં જ પટકાયા, CCTV આવ્યા સામે

રાજકોટના ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થતા એક વ્યક્તિ પર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા.

Top Stories Rajkot Gujarat
Untitled 40 રાજકોટમાં શ્વાનનો આતંક, આધેડને બચકુ ભરતા ત્યાં જ પટકાયા, CCTV આવ્યા સામે

રાજ્યમાં રખડતાં પશુના આતંકથી હજુ છુટકારો નથી મળ્યો ત્યાં શ્વાનોએ આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે. હવે રાજ્યમાં રખડતા શ્વાનોનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે આવામાં રાજકોટના ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થતા એક વ્યક્તિ પર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓને ઈજાઓ થઈ હોવાથી ત્રણ ટાંકા પણ આવ્યા હતા. શ્વાનના આતંકની ઘટના CCTVમાં કેદ થઇ છે.

ઈજાગ્રસ્ત વૃદ્ધને ઠાકરશીભાઈ પટેલ પગના ભાગે ત્રણ ટાંકા લેવામાં આવ્યા છે. તેમજ ચાર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં ઠાકરશીભાઈએ જણાવ્યું હતું કે, આજ રોજ સવારે તેઓ શરાફી મંડળી ખાતે પૈસા ભરવા જઈ રહ્યા હતા. ત્યારે ભક્તિનગર સર્કલ પાસે આવેલી ગીતામંદિર પાસે પહોંચતા શ્વાન દ્વારા તેમને પગના ભાગે બચકા ભરવામાં આવ્યા હતા. જેના કારણે તેમને પગના ભાગે લોહી પણ નીકળ્યું હતું.

સ્થાનિક લોકોએ 108 ને ફોન કરી વૃદ્ધને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ઇજાગ્રસ્ત વૃદ્ધને પગના ભાગે ત્રણ ટાંકા લેવા પડ્યા હતા અને ચાર ઇન્જેક્શન ખાવા પડ્યા હતા, ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કુતરું તેમને કેવી રીતે બચકું ભરી લે છે.

આ પણ વાંચો:યુપીનો માફિયા અતીક અહેમદ બન્યો કેદી નંબર 17052, જેલમાં મારશે ઝાડું, મળશે 25 રૂપિયા

આ પણ વાંચો:સુરતમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, પતિ પણ છે જેલમાં બંધ

આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?

આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે