Politics/ ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી, અમદાવાદના આ વિસ્તારમાં લાગ્યા પોસ્ટરો

ગુજરાતમાં મમતા બેનર્જીની તસવીરવાળા બેનરો ઘણું કહે છે. ગુજરાતમાં મમતાની તસવીર સાથે બેનરો લગાવવામાં આવ્યા તેવુ પ્રથમ વખત બન્યું છે….

Ahmedabad Gujarat
ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી

                                                                      ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી

ગુજરાતના રાજકારણમાં વધુ એક પાર્ટીનો પ્રવેશ થયો હોય તેવું લાગી રહ્યું છે, ગુજરાતના રાજકારણમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની એન્ટ્રી થઇ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે મમતા બેનર્જીના પોસ્ટર પણ લાગ્યા છે. ટીએમસી 21 જુલાઈના ગુજરાતમાં શહીદ દિવસ મનાવી રહી છે.

અમદાવાદના સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સ્ટેન્ડ ખાતે ગુજરાતી ભાષામાં મુકવામાં આવેલા આ બેનરો પર લખ્યું છે કે 21 જુલાઈના રોજ મમતા દીદી બપોરે 2 વાગ્યે વર્ચ્યુઅલ સંબોધન કરશે. ગુજરાતમાં મમતા બેનર્જીની તસવીરવાળા બેનરો ઘણું કહે છે. ગુજરાતમાં મમતાની તસવીર સાથે બેનરો લગાવવામાં આવ્યા તેવુ પ્રથમ વખત બન્યું છે. બંગાળમાં વિજય બાદ મમતા દીદીએ ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો :રાજય માં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ભાજપના ગઢ કહેવાતા ગુજરાતમાં અચાનક મમતા બેનર્જીની પાર્ટી સક્રિય થતા રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત મળી છે. આ જીતથી મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રીની ખુરશી ફરી પોતાના નામે કરી દીધી છે.

ગુજરાતના રાજકારણમાં તૃણમુલ કોંગ્રેસનો ઉદય થાય તેવા અણસાર છે.  બુધવારે પ.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૃલ કોંગ્રેસ સુપ્રિમો મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે . આ મુદ્દે અમદાવાદ શહેરમાં પોસ્ટર લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં મમતા દીદીની એન્ટ્રીને પગલે ભાજપની ચિંતા વધારો થઇ શકે છે.

આ પણ વાંચો : NOC નથી તેમ છતાં શિક્ષણ કાર્ય શરૂ, ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

ગુજરાતમાં કોંગ્રેસ બાદ આપ સક્રિય થયુ છે જેના કારણે ભાજપે અત્યારથી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરવી પડી છે. આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લઇ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવા એલાન કરી ચૂક્યા છે ત્યારે હવે વધુ એક નવા રાજકીય પક્ષે પણ ગુજરાત તરફ નજર માંડી છે.

આ પહેલા અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બાદ હવે ગુજરાતની રાજનીતિમાં નવો પક્ષ મમતા બેનર્જીની પાર્ટી તૂણ મૂલ કોંગ્રેસ. જે TMCના હવે ગુજરાતમાં સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે.ગુજરાતના રાજકારણ માટે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીનો ખેલ સર્જાય તેવા એંધાણ આવી રહ્યા છે.

આ પણ વાંચો :મુન્દ્રા શહેરમાં રસીકરણ કાર્યક્રમમાં હોબાળો