ક્રિકેટ/ IPL સસ્પેન્ડ થયા પછી ભારતમાં ટી-20 વિશ્વકપ પર સંકટનાં વાદળ, જાણો BCCI શું કહે છે

દેશમાં ઝડપથી ફેલાયેલા કોરોનાવાયરસાં કારણે હવે આઈપીએલ પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ વચ્ચે દેશમાં ટી-20 વર્લ્ડ કપને કેટલી અસર થશે, તેના વિશે કંઈ કહી શકાય તેમ નથી.

Top Stories Sports
123 93 IPL સસ્પેન્ડ થયા પછી ભારતમાં ટી-20 વિશ્વકપ પર સંકટનાં વાદળ, જાણો BCCI શું કહે છે

દેશમાં ઝડપથી ફેલાયેલા કોરોનાવાયરસાં કારણે હવે આઈપીએલ પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ વચ્ચે દેશમાં ટી-20 વર્લ્ડ કપને કેટલી અસર થશે, તેના વિશે કંઈ કહી શકાય તેમ નથી. એક તરફ ટી-20 વિશ્વકપ યુએઈમાં સ્થળાંતરિત થવાના અહેવાલો મળી રહ્યા છે, બીસીસીઆઈ હજી પણ ભારતમાં તેનું આયોજન કરવાની આશા રાખી રહ્યુ છે. એએનઆઈ સાથે વાત કરતાં બોર્ડનાં એક સભ્યએ કહ્યું, “ભારતમાં હાલનાં કોરોનાનાં કારણે કઇ પણ કહેવુ અને કોઇપણ નિર્ણય લેવો થોડી ઉતાવળ કહેવાશે.” આ વિશે જુલાઈમાં વાત કરવામાં આવશે. ત્યારબાદ ચર્ચા થશે કે ભારત વર્લ્ડ કપ હોસ્ટ કરવાની સ્થિતિમાં છે અથવા તેને બીજા દેશમાં જવાની જરૂર છે.

123 94 IPL સસ્પેન્ડ થયા પછી ભારતમાં ટી-20 વિશ્વકપ પર સંકટનાં વાદળ, જાણો BCCI શું કહે છે

IPL 2021 / ટૂર્નામેન્ટ મુલતવી થયા બાદ RCB નું સામે આવ્યુ મોટું નિવેદન, જાણો શું કહ્યુ?

બીસીસીઆઈએ કોરોના સંક્રમણનાં કારણે આઈપીએલની આ સીઝન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સનાં ખેલાડી અમિત મિશ્રા અને સનરાઇઝર્સ હૈદરાબાદનાં રિદ્ધિમાન સાહાને કોરોના સંક્રમણ લાગ્યાં પછી તત્કાલમાં આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી અને આઇપીએલને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ બીસીસીઆઈ માટે રાહતની વાત એ છે કે, આઈપીએલનાં સસ્પેન્શન પછી આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપનાં ભારતનાં હોસ્ટિંગ પર તેની અસર નહીં થાય. એએનઆઈનાં એક સભ્યએ બીસીસીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઈપીએલની આ સીઝનને સ્થગિત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જુલાઈ મહિનામાં નિર્ણય લેવામાં આવશે કે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ ભારતમાં થશે કે ભારતની બહાર અન્ય કોઈ દેશમાં થશે. બીસીસીઆઈનાં સભ્યએ કહ્યું કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. વર્તમાન પરિસ્થિતિમાં, અમને લાગે છે કે રાહ જોવી તે વધુ સારું રહેશે અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. હાલમાં, વર્લ્ડ કપ ભારતમાં કે ભારતની બહાર યોજાશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

123 95 IPL સસ્પેન્ડ થયા પછી ભારતમાં ટી-20 વિશ્વકપ પર સંકટનાં વાદળ, જાણો BCCI શું કહે છે

IPL 2021 / IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ

બીસીસીઆઈનાં સભ્યએ કહ્યું કે અમે જુલાઈ મહિના સુધી પરિસ્થિતિ જોઇશું અને રાહ જોઇશું કે પરિસ્થિતિ સુધરે છે કે કેમ. આ પ્રતીક્ષા જુલાઈ મહિના પછી થશે નહીં કારણ કે વર્લ્ડ કપ યોજાવાનો છે અને થોડા અઠવાડિયામાં નિર્ણય લઈ શકાય નહીં. બીસીસીઆઈને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં આ પરિસ્થિતિમાં સુધારો થશે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલાડીઓની સલામતી અને આરોગ્ય અમારી પ્રાથમિકતા છે, તેથી આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય સૌથી યોગ્ય છે.

majboor str 3 IPL સસ્પેન્ડ થયા પછી ભારતમાં ટી-20 વિશ્વકપ પર સંકટનાં વાદળ, જાણો BCCI શું કહે છે