વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં થેંક્સગિવિંગ રેલી દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. CAA સામેના હિંસક વિરોધ પ્રદર્શન અંગે તેમણે કહ્યું હતું કે તમે મોદીનો વિરોધ કરો, મોદીના પૂતળાનું દહન કરો. પણ દેશની સંપત્તિ બળીને નહી. ગરીબની રીક્ષાને ના બાળો. ગરીબની ઝૂંપડીને ના સળગાવો.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પણ આજે સ્તબ્ધ છે કે મોદીને આંતરરાષ્ટ્રીય અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં આટલું સમર્થન કેમ મળે છે. તે દેશો કેમ મોદીને પસંદ કરે છે..? તે અફઘાનિસ્તાન હોય કે પેલેસ્ટાઇન, સાઉદી અરેબિયા હોય કે યુએઈ, માલદીવ કે બહેરિન. આ તમામ દેશોએ ભારતને તેમનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યો છે. ભારતની સંસ્કૃતિ સાથેના તેના સંબંધોને ગાઢ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો, શહેરોમાં વસતા કેટલાક શિક્ષિત નક્સલવાદી-શહેરી નક્સલીઓ, એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે તમામ મુસ્લિમોને અટકાયત કેન્દ્રમાં મોકલવામાં આવશે. ઓછામાં ઓછું તમારા શિક્ષણનું મૂલ્ય રાખો. એકવાર વાંચો, નાગરિકત્વ સુધારવાનો કાયદો શું છે? જે લોકો હજી પણ મૂંઝવણમાં છે, હું એમ કહીશ કે કોંગ્રેસ અને અર્બન નક્સલવાદીઓ ફેલાવવામાં આવેલી ડિટેંશન સેન્ટરની અફવા ખોટી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.