દિલ્હી પોલીસ ના લાઇસન્સિંગ યુનિટે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીના રાષ્ટ્રીય રાજધાનીમાં શો કરવાની પરવાનગી નકારી કાઢી છે. આ શો રવિવારે થવાનો હતો. અગાઉ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે યુનિટને એક રિપોર્ટ લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે “આ શો આ વિસ્તારમાં સાંપ્રદાયિક સૌહાર્દને અસર કરશે.”
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને રવિવારે દિલ્હીમાં યોજાનારા ફારૂકીના શોને રદ કરવાની માંગ કરી હતી. આ પછી, દિલ્હી પોલીસની લાઇસન્સિંગ યુનિટે ફારૂકીને તેનો શો કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો. આ સંદર્ભમાં, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે યુનિટને એક રિપોર્ટ લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે “મુનવ્વર ફારૂકીના શોથી વિસ્તારની સાંપ્રદાયિક સૌહાર્દને અસર થશે”.
લાયસન્સિંગ બ્રાન્ચે 23 ઓગસ્ટે અરજદાર ગુરસિમાર સિંહ રાયતને કેદારનાથ સાહની ઓડિટોરિયમમાં ફારૂકીનો કોમેડી શો આયોજિત કરવાની મંજૂરી આપી હતી, જે 28 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યાથી નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના દિલ્હી અધ્યક્ષ સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ 25 ઓગસ્ટે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો.
તે જ સમયે, આ અઠવાડિયાની શરૂઆતમાં, વિશ્વ હિન્દુ પરિષદે પણ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને મુનવ્વર ફારૂકીના શોને રદ કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે જો શો રદ નહીં થાય તો VHP અને બજરંગ દળના કાર્યકરો વિરોધ કરશે.
દિલ્હી શો રદ થયાના એક અઠવાડિયા પહેલા, બેંગલુરુ પોલીસે કર્ણાટકની રાજધાનીમાં મુનવ્વર ફારૂકીના શો ‘ડોંગરી ટુ નોઅર’ને પણ મંજૂરી નકારી દીધી હતી, જે 20 ઓગસ્ટના રોજ થવાનું હતું. પોલીસે કહ્યું હતું કે બેંગલુરુ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો કારણ કે આયોજકોએ શહેરમાં તેનું આયોજન કરવાની પરવાનગી લીધી ન હતી.
ઉલ્લેખનીય છે કે, જય શ્રી રામ સેનાએ કોમેડિયન અને આયોજકો વિરુદ્ધ બેંગલુરુ પોલીસ કમિશનર સીએચ પ્રતાપ રેડ્ડીને ફરિયાદ કરી હતી. સંગઠને તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મુનવ્વર ફારૂકીએ તેના શોમાં ભગવાન રામ અને દેવી સીતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરીને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
આ પણ વાંચો:કોરોના કેસમાં રાહત, છેલ્લા 24 કલાકમાં 9 હજાર કેસ નોંધાયા, એક્ટિવ કેસ 87 હજારને પાર
આ પણ વાંચો:સોપોરમાંથી લશ્કરના 3 આતંકવાદીઓની ધરપકડ, શ્રમિકો પર હુમલાનું ષડયંત્ર નિષ્ફળ
આ પણ વાંચો:લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?