રઘુકુળના કુળગુરૂ મહર્ષિ વશિષ્ઠે દશરથ રાજાના જયેષ્ઠ પુત્રનું નામ રામ પાડ્યું. એમણે સમજાવ્યું કે ‘રામ’ નામ બે બીજ અક્ષરનું બને છે – અગ્નિ બીજ ‘રા’ અને અમૃત બીજ ‘મ’. અગ્નિ બીજ આત્મા, મન અને શરીરને ઉદ્દીપ્ત કરે છે. અમૃત બીજ શરીરમાં પ્રાણ શક્તિ ચેતનવંત કરે છે.
રામાયણનું ગાયત્રી મંત્ર સાથેનું મહત્વ!
ગાયત્રી મંત્રમાં ૨૪ અક્ષરો છે. વાલ્મીકિ રામાયણમાં ૨૪૦૦૦ શ્લોક છે. રામાયણના પ્રત્યેક ૧૦૦૦ શ્લોકના પ્રથમ અક્ષરને લઇ, સાથે ગોઠવવાથી ગાયત્રી મંત્ર બને છે! ગાયત્રી મંત્રનો સૌપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો છતાં રામાયણ સાથેનું એનું આવું ચમત્કારી મહત્વ છે.