રામભક હનુમાન પોતાના આખા શહરી ઉપર કેસરી રંગનું સિંદુર લગાવેલા નજર આવે છે. પરનું કોઈને કયારે ઇચાર પણ નહી આવ્યોહોઉં કે કયા કારણથી રામ ભક્ત હનુમાન પોતાના સમગ્ર શરીર ઉપર સિંદુર લગાવે છે.
રામ અયોધ્યાના રાજા બન્યા પછી એક દિવસ હનુમાનજીએ સીતાને લલાટમાં સિંદુર પુરતાં જોયાં. હનુમાનજીએ ઉત્સુકતાથી એમને આ વિષે પૂછ્યું. સીતાએ એમને કહ્યું કે સૌભાગ્યવતી સ્ત્રી માટે આ એક વિધિ છે જેના થકી એના પતિને તંદુરસ્તીભર્યું દીર્ધાયુષ્ય મળે. એટલે કે રામને દીર્ધાયુષ્ય મળે.
હનુમાનજી તો રામના પરમ ભક્ત હતા. આથી એમણે રામના તંદુરસ્તીભર્યા દીર્ધાયુષ્ય માટે આખા શરીર પર સિંદુર લગાવી દીધું! તેઓ સંપૂર્ણપણે કેસરી થઇ ગયા! બજરંગ એટલે કેસરી. આથી હનુમાનજી બજરંગબલી કહેવાયા!