વાયુ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઘણી જગ્યાએ જોવા મળી રહી છે ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડી રહ્યા છે ત્યારે વધુ અસર દીવમાં જોવા મળી રહી છે. ગાજવીજ સાથે દીવમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સામાન્ય પવન સાથે વરસાદ હાલ પડી રહ્યો છે. આ સાથે જ દીવનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. એક તરફ વરસાદનાં કારણે ઠંડક પ્રસરી છે તો બીજી તરફ લોકોમાં વાવાઝોડાનો ભય જોવા મળ્યો છે. વાયુ વાવાઝોડાને ધ્યાને લેતા ગુજરાતનાં ગામડાઓમાં લોકોને સમજાવીને સલામત સ્થળે ખસેડવા માટે એનડીઆરએફની ટીમ કવાયત કરી રહી છે. ત્યારે એનડીઆરએફનાં ડિરેક્ટર જનરલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
#CycloneVayu UPDATE- #TEAMNDRFINDIA द्वारा नागरिकों को evacuate कर सुरक्षित स्थानों पर लेने की कार्यवाही शुरू है।स्थान-पोरबन्दर इलाक़ा-माधोपुर प्रयास अनवरत रहेगा।लक्ष्य-ज़ीरो casualty-कृपया आगे भी सहयोग करें 🙏🏻🙏🏻#NDRF4INDIA @NDRFHQ @HMOIndia @PMOIndia @ndmaindia @GSDMA_Gujarat pic.twitter.com/fJ4N2aYg9q
— ѕαtчα prαdhαnसत्य प्रधान ସତ୍ୟ ପ୍ରଧାନ, IPS (Retd) (@satyaprad1) June 12, 2019
પોરબંદર જિલ્લો દરિયાકાંઠે આવેલો હોવાથી અહીં વાવાઝોડાની સીધી અસર થવાની પૂરી સંભાવનાઓ છે. જેથી અહીં વાવાઝોડા પહેલાં જ તંત્ર સતર્ક થઈ ગયું છે. હાલ ગુજરાતના ગામડાઓમાં લોકોને સમજાવીને સલામત સ્થળે ખસેડવા માટે એનડીઆરએફની ટીમ કવાયત કરી રહી છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે એનડીઆરએફની 36 ટિમ મોકલવામાં આવી છે. ત્યારે આ અંગે વધુ માહિતી એનડીઆરએફનાં ડીસી રણવિજયકુમારે આપતા વધુ ટીમ મંગાવવામાં આવી છે તેવું જણાવ્યું હતું. વાયુ વાવાઝોડું વેરાવળનાં દરિયા કિનારેથી હવે 325 કિલોમિટર દૂર છે અને ગુરુવારે તે ગુજરાતનાં દરિયાકાંઠે પહોંચશે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.
#CycloneVayu UPDATE- #TEAMNDRFINDIA
Evacuation from Madhavpur, Porbandar, Gujarat
#NDRF4INDIA @satyaprad1 @PIBHomeAffairs @ndmaindia pic.twitter.com/lO9NGXQAVj— NDRF India I राष्ट्रीय आपदा मोचन बल 🇮🇳 (@NDRFHQ) June 12, 2019
વાયુ વાવાઝોડાને લઇને રાજ્યનાં ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલનાં કહેવા પ્રમાણે એનડીઆરએફ ઉપરાંત આર્મીની 11 ટીમો તૈનાત કરવામાં આવશે. આર્મીની 23 ટીમોને સ્ટેન્ડ બાય રખાશે. હાલ પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અહીં એનડીઆરએફની ટીમો લોકોને સલામત સ્થળે લઈ જવા માટે ગામડાંઓમાં ફરી રહી છે. આ પહેલાં હાલ દ્વારકા અને વેરાવળ પાસે દરિયો તોફાની બની રહ્યો છે. વધુમાં પ્રવાસીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ સલામત સ્થળે ખસી જાય. દ્વારકા, દીવ, સોમનાથ, કચ્છમાં આવતા પ્રવાસી માટે વાવાઝોડાને લઈને તકેદારીની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
#CycloneVayu UPDATE- #TEAMNDRFINDIA
12 more teams will be airlifted from #INSRajali and #Patna to serve the people of Gujarat and Diu before,during and in the aftermath of the cyclone- #NDRF4INDIA@satyaprad1 @ndmaindia @PIBHomeAffairs @IAF_MCC pic.twitter.com/37OBhzp3ew— NDRF India I राष्ट्रीय आपदा मोचन बल 🇮🇳 (@NDRFHQ) June 12, 2019
આપને જણાવી દઇએ કે NDRFની ગુજરાતમાં જૂનાગઢ – 3, ગીર સોમનાથ – 5, દ્વારકા – 3 , અમરેલી – 4, પોરબંદર – 3, ભાવનગર – 3, જામનગર – 2, મોરબી – 2, કચ્છ – 2, વલસાડ – 1, સુરત – 1, રાજકોટ – 4, દીવ – 3, એમ કુલ – 36 જગ્યાએ ટીમ તૈનાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
