Myanmar/ મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર ડ્રોન હુમલો, લગભગ 200 લોકોના મોત

જાણે આખી દુનિયામાં હિંસા અને યુદ્ધનો સમય ચાલી રહ્યો છે. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના યુદ્ધની સાથે બાંગ્લાદેશમાં પણ હિંસા ફેલાઈ છે. હવે મ્યાનમારમાં પણ રોહિંગ્યા મુસ્લિમો પર હુમલા કરવામાં આવ્યા જેમાં અનેક લોકોના જીવ ગયા.

Top Stories World

શનિવારે રોહિંગ્યા મુસ્લિમોનું એક જૂથ દેશ છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યું હતું, ત્યારે તેમની બોટ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં લગભગ 200 લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો યુદ્ધથી બચવા માટે બાંગ્લાદેશ ભાગી રહ્યા હતા. નદીના કિનારે લોકોના મૃતદેહો હજુ પણ પડ્યા છે. મૃતકોમાં પુરૂષોની સાથે મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વ્હાઈટ હાઉસમાં શંકાસ્પદ વસ્તુ મળી આવતા સિક્રેટ સર્વિસ એલર્ટ

આ પણ વાંચો:વિદેશ મંત્રી એસ. જયશંકર માલદીવની મુલાકાતે, મોહમ્મદ મુઈઝુનો ભારત સાથે સંબંધ સુધારવા પ્રયાસ

આ પણ વાંચો:બ્રાઝિલમાં પ્લેન ક્રેશ, 62 મુસાફરોના થયા મોત, વીડિયો સામે આવ્યો