તમિલનાડુ વિધાનસભા ચૂંટણ પહેલા શશિકલાએ મોટી જાહેરાત કરી છે. જયલલિતાની અત્યંત નજીકના માનવામાં આવતા શશીકલા એ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી અને સૌને ચોંકાવી દીધા છે. રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યુ કે, તેમણે ક્યારેય સત્તા કે પદની ઈચ્છા રાખી નથી. તે હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરશે અને અમ્મા (જયલલિતા) એ જણાવેલા માર્ગનું અનુસરણ કરશે.
Cricket / પોલાર્ડે 6 બોલમાં ફટકારી 6 સિક્સર, યુવરાજનાં રેકોર્ડની કરી બરાબરી
જો કે રાજનીતિમાં સંન્યાસની જાહેરાત થતાં તેમનો જુસ્સો જરા પણ ઓછો થયો નથી તેમજ ડીએમકેને હરાવવા માટે કાર્યકર્તાઓને લલકાર કરી હતી,શશિકલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેને હરાવવા માટે એઆઈએડીએમકેના કાર્યકર્તાઓને એક રહેવા માટે કહ્યું છે. સાથે કહ્યું કે, તે નક્કી કરવું જોઈએ કે તમિલનાડુ રાજ્યમાં એમજીઆરનું શાસન યથાવત રહેવું જોઈએ.
Shameless / ખાખી પર લાગ્યો દાગ : અહીં હોસ્ટેલની છોકરીઓને નગ્ન નાચ કરવા પોલીસનું દબાણ, ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ
વધુમાં શશિકલાએ કહ્યું કે, અમ્મા (જયલલિતા) એ કહ્યું હતું કે, તે (ડીએમકે) દુષ્ટ શક્તિઓ છે. અમ્માની કેડરે ડીએમકેને હરાવવા માટે કામ કરવું જોઈએ અને તે નક્કી કરવું જોઈએ કે અમ્માનું સૂવર્ણ શાસન આવે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે હું તમિલનાડુના લોકોની હંમેશા આભારી રહીશ. હું રાજનીતિથી દૂર રહેવા ઈચ્છુ છું, પરંતુ દુવા કરુ છું કે અમ્પા જેવું સ્વર્ણિમ શાસન બને.
Pakistan / ઇમરાન ખાનને મોટો ઝટકો, પૂર્વ PM ગિલાનીના મંત્રીએ સેનેટ ચૂંટણીમાં PTI મંત્રીને હરાવ્યા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…