Surat News: સુરતમાં ત્રણ લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કાર્યવાહી કરી છે. આ લોકોએ નોટબંધી વખતે બેન્કમાં 60 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. બોગસ પુરાવાના આધારે બે બેન્ક ખાતા ખોલાવીને ખેલ કર્યો હતો. મહર્ષિ ચોક્કસી, હિમાંશુ શાહ અને સુનિલ રૂપાણી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
કેસમાં ઇડી દ્વારા 2.06 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. અગાઉ ગાંધીનગરમાં સીબીઆઈ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. ત્રણેયે નીરવ એન્ડ કંપનીના નામે બોગસ ખાતુ ખોલાવ્યું હતું. બે બોગસ ખાતામાં જૂની નોટો જમા કરાવવામાં આવી હતી.
નીરવ શાહ એન્ડ કંપનીના ખાતામાં 36.17 કરોડની નોટો જમા કરાવવામાં આવી હતી. આર. આર ટ્રેડર્સના ખાતામાં પણ 34.35 કરોડની જૂની નોટો જમા કરાવવામાં આવી હતી. બંને બેન્ક ખાતા બોગસ પુરાવાના આધારે ખોલાવીને કાળાધોળાનો ખેલ કરાયો હતો.
ઇડીના આ સપાટાના પગલે સુરતમાં નોટબંધી દરમિયાન આ રીતે રકમ જમા કરાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નોટબંધી દરમિયાન ઘણા લોકોએ બોગસ બેન્ક ખાતા ખોલાવીને તેમની બિનહિસાબી રકમ જમા કરાવી હતી.
આ તો હજી એક જ બેન્ક ખાતાની વાત થઈ છે. ઇડીને શંકા છે કે ગુજરાતમાં ઘણી બધી કંપનીઓએ નોટબંધી દરમિયાન કોઈને કોઈ રીતનો ઉપયોગ કરીને આ રીતે તેમના નાણા છૂપાવ્યા હોઈ શકે છે. આમ કરચોરીનો વધુ એક કિસ્સો સામે આવવાની તૈયારીમાં છે. ઇડીએ નોટબંધીને લગભગ નવ વર્ષ થયા પછી પણ તેમા મોટાપાયે અને અયોગ્ય રીતે બ્લેક માર્કેટનું ધન જમા કરાવનારાઓ સામે કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો: સુરતનાં 100 કરોડના સાયબર સ્કેમની તપાસમાં SOG બાદ ED પણ જોડાઈ
આ પણ વાંચો: EDનું અમદાવાદમાં સર્ચ, સાયબર ફ્રોડ કેસમાં તપાસ કરવામાં આવી
આ પણ વાંચો: અમદાવાદમાં કાચની મસ્જિદ વક્ફ ટ્રસ્ટ કેસમાં આરોપીને ત્યાં EDની રેડ, 10 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન

