Not Set/ 105 વર્ષીય ધેનુ ચવ્હાણ અને તેમની 95 વર્ષીય પત્નીએ 10 દિવસમાં કોરોના સામે જીતી જંગ

કોરોનાનો ખતરો હવે વૃદ્ધો તેમજ યુવાનોને પણ પકડી રહ્યો છે. પરંતુ તે દરમિયાન, મહારાષ્ટ્રના લાતુરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વૃદ્ધ દંપતીએ કોરોના સામે જંગ જીતી છે.

Top Stories India
A 337 105 વર્ષીય ધેનુ ચવ્હાણ અને તેમની 95 વર્ષીય પત્નીએ 10 દિવસમાં કોરોના સામે જીતી જંગ

કોરોનાનો ખતરો હવે વૃદ્ધો તેમજ યુવાનોને પણ પકડી રહ્યો છે. પરંતુ તે દરમિયાન, મહારાષ્ટ્રના લાતુરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વૃદ્ધ દંપતીએ કોરોના સામે જંગ જીતી છે. 105 વર્ષીય વ્યક્તિ અને તેમની 95 વર્ષીય પત્નીને કોરોના પોઝિટીવ આવ્યા બાદ 10 દિવસ માટે લાતુરની વિલાસરાવ દેશમુખ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વૃદ્ધ દંપતી – ધેનુ ઉમાજી ચવ્હાણ અને તેમની પત્ની મોતાબાઈ ધેનુ ચવ્હાણને 25 માર્ચે તેમના બાળકોએ દાખલ કરાવ્યા હતા. જ્યાં તેની 10 દિવસ સારવાર કરવામાં આવી હતી. વિલાસરાવ દેશમુખ હોસ્પિટલના ડો.સુધીર દેશમુખે બુધવારે એએનઆઈને જણાવ્યું કે વૃદ્ધ દંપતીને 25 માર્ચે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અમે તેમની તપાસ કરી, તેમને તાવ અને શ્વાસની તકલીફ હતી. ડો.સુધિરે જણાવ્યું હતું કે વૃદ્ધ દંપતીને ઓક્સિજન સપોર્ટ કરવામાં આવ્યા હતા અને તેમને સમય સમય પર એન્ટિવાયરલ સપ્લિમેન્ટ્સ પણ આપવામાં આવતા હતા.

આ પણ વાંચો :વીમાકંપનીઓ કોરોના દર્દીઓના બિલને એક કલાકની અંદર આપે મંજૂરી, હાઈકોર્ટનો આદેશ

ડો.સુધીર દેશમુખે જણાવ્યું કે અમારા ડોકટરોએ વૃદ્ધ દંપતીની શ્રેષ્ઠ સંભાળ લીધી અને તેઓ 10 દિવસમાં સાજા થઈ ગયા. તેના બધા રિપોર્ટ ઠીક આવ્યા અને અમે 4 એપ્રિલે તેને રજા આપી દીધી. તે જ સમયે, રાજ્યમાં કોરોના ચેપ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. બુધવારે, રાજ્યમાં કોરોના (મહારાષ્ટ્રમાં કોરોના કેસ) ના, 63,30૦9 નવા કેસ બહાર આવ્યા હતા, જ્યારે ચેપને કારણે 85 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બુધવારના આંકડા બાદ રાજ્યમાં કુલ કેસ વધીને 44,73,394 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો :દેશમાં રિકવરીની નવી ટોચ : 24 કલાકમાં 2.70 લાખ દર્દીઓ સાજા થયા, આટલા લાખ થયા નવા કેસ

મહારાષ્ટ્રની ઠાકરે સરકારે મોટો નિર્ણય લીધો છે. 18 થી 45 વર્ષની વચ્ચે 5 કરોડ 71 લાખથી વધુ લોકોને રસી મફત આપવામાં આવશે. કોંગ્રેસનો મત દરેકને મફત રસી આપવાનો હતો, જ્યારે એનસીપીના નેતાઓનું માનવું હતું કે, ક્ષમતા ધરાવતા લોકોને મફત રસી આપવી રાજ્યના તિજોરીમાં બિનજરૂરી ભારણ ઉમેરશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ પક્ષોના મંત્રીઓના મતોની વિચારણા કર્યા બાદ રાજ્યના 5 કરોડ 71 લાખ લોકોને મફત રસી આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : તૃણમૂલના ઉમેદવારની પત્નીએ ચૂંટણી પંચ પર હત્યાનો કેસ નોંધાવ્યો, પતિનું કોરોનાથી થયું હતું મોત 

Untitled 46 105 વર્ષીય ધેનુ ચવ્હાણ અને તેમની 95 વર્ષીય પત્નીએ 10 દિવસમાં કોરોના સામે જીતી જંગ