મુંબઈ
બોલીવુડના સ્ટાર રણબીર કપૂરે પોતાના લગ્નને લઈને પહેલી એક્સ્પોઝર કર્યું છે. રવિવારે ચાહકો સાથે અભિનેતા Fox Star Hindiના ટ્વિટર હેન્ડલ સાથે જોડાયા હતા અને તેમણે ટ્વિટર પર ચાહકોના ઘણા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.
આ દરમિયાન એક યુઝરએ તેમને તેમના લગ્ન વિશે પૂછતા લખ્યું કે રણબીર તમે ક્યારે લગ્ન કરશો? આનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું, આશા છે કે ખૂબ જલ્દી! રણબીર કપૂરના જવાબને લોકો આલિયા ભટ્ટ સાથે જોડી રહ્યા છે.
https://twitter.com/its_rockstar_/status/1008252389680349185
આપને જણાવીએ કે લગ્નની વાત પર આલીયાએ શું જણાવ્યું હતું.
થોડા સમય પહેલા, આલિયાએ તેના લગ્ન વિશે કહ્યું હતું કે, લોકો કદાચ એવી અપેક્ષા રાખે છે કે હું 30 વર્ષ પછી લગ્ન કરીશ, પરંતુ તે ખૂબ જ શક્ય છે કે હું આ પહેલાં પણ લગ્ન કરું અને દરેકને ચોકાવી પણ શકું. જો કે આલિયાએ એમ પણ કહ્યું કે કોઈ પણ વાતને પથ્થરની લકીર ના કહી શકાય.
આલિયાએ વધુમાં કહ્યું કે જો મને લાગે છે કે હું તે પરિસ્થિતિમાં છું, તો હું આ પગલું લઈશ. મને હંમેશાંથી લાગે છે કે હું બાળકો માટે લગ્ન કરીશ. તેથી જ્યારે મને લાગે છે કે સમય આવી ગયો છે જ્યારે હું બાળકો ઇચ્છું છું અને હું તેમને સંભાળી શકું છું, પછી હું લગ્ન કરીશ. મેં કોઇ પણ સમયમર્યાદા નક્કી કરી નથી
આલિયા અને રણબીરના લગ્ન વિશે નિવેદન હકારાત્મક લાગે છે બંને વચ્ચેનો સંબંધ પણ ચર્ચામાં રહે છે. બંનેએ વારંવાર એકબીજાને પસંદ કરવાનું સ્વીકાર્યું છે. તેમના પરિવારો વચ્ચે નિકટતા પણ વધી રહી છે.