પશ્ચિમીજાપાનના ઓસાકા પ્રાંતમાં સોમવારના રોજ 6.1 તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. હાલ એવી માહિતી મળી રહી છે કે ભૂંકપના કારણે મોટાપાયે નુકસાન થયું છે. આ ભૂકંપમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકોના મોત પણ થયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ભૂકંપના તેજ આંચકાના કારણે અનેક મકાનોને નુકસાન થયું અને અન્ય મકાનોમાં આગ પણ લાગી હતી. મૃતકોમાં 9 વર્ષની બાળકી અને 2 પુરુષોનો સમાવેશ થાય છે, ત્યા 50 લોકો ઘાયલ થયા છે.
ભૂંકપનું કેન્દ્ર બિંદુ ઓસાકાના ઉતરી ભાગમાં છે જ્યાં 34.8 ડિગ્રી ઉતરી અક્ષાંશમાં અને 135.6 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં નોંધાયુ છે. ઓસાકામાં હજુ પણ ભૂંકપ આવવાની સંભાવનાઓ છે જેથી લોકોને ચેતવણી આપી છે અને લોકોને સાવધાન રહેવાનો નિર્દેશ આપ્યો છે.
ભૂકંપના કારણે સમગ્ર શહેરમાં વીજળી અને ગેસ પુરવઠો અટકાવવામાં આવ્યો છે, વિમાન અને બુલેટ ટ્રેન સેવા પણ અટકાવવામાં આવી હતી. જો કે, ઓસાકા એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ની અવર-જવર શરૂ થઇ ચુકી છે.
https://twitter.com/TVRav/status/1008529407554871297