મુંબઈ
સલમાન ખાન નવા સ્ટારને અવારનવાર તક આપતા રહે છે. તેણે હમણાં જ સોનાક્ષી સિન્હા, સુરજ પંચોલી અને અથિયા શેટ્ટી જેવા કલાકારોની લોન્ચ કર્યા છે. લવયાત્રી દ્વારા, સલમાને બોલીવુડમાં આયુષ શર્મા અને વરીના હુસૈન જેવા નવા કલાકારોને તકો પ્રદાન કરી છે.
આ મૂવીનું પ્રથમ નામ લવરાત્રી હતું, જેને લઈને વિવાદ થયો અને સલમાન તરત જ ફિલ્મનું નામ બદલ્યું. આ ફિલ્મ એક લવસ્ટોરી છે અને યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
મૂવીના ગીતો રિલીઝ પહેલાં જ હિટ થઈ ગયા છે. આયુષ શર્મા ટ્રેલરમાં સારો દેખાવ કરી રહ્યો છે. સવારે શોમાં ફિલ્મનું ઓપનિંગ સરેરાશ કરતાં સારો રહ્યો છે. કેટલાક થિયેટરોમાં ‘અંધાધૂન’ કરતા કલેક્શન વધુ છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દર્શકોની સંખ્યા સાંજે અને રાત્રી શોમાં વધશે, જેના દ્વારા આ ફિલ્મ પ્રથમ દિવસે સાડા ત્રણ લાખ સુધી કલેશન કરી શકે છે. લવયાત્રીને અંધાધૂન અને વેનમનો સામનો કરવો પડે છે.
આ ફિલ્મ પબ્લિસિટી પર કંઈ વધારે નિર્ભર છે અને રીપોર્ટ પોજીટીવ રહ્યો તો જ ફિલ્મ સારું પ્રદર્શન કરી શકશે.