મુંબઇ,
ગયા વર્ષે કેન્સર જેવી ગંભીર બિમારીનો ભોગ બનેલી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હવે સ્વસ્થ છે અને કામ કરવા પણ તૈયાર છે.કેન્સરની સારવાર માટે સોનાલી ઘણા મહિના ન્યૂયોર્કમાં રહી હતી અને કંટાળાજનક ટ્રીટમેન્ટ કરાવી હતી.
જો કે સતત પોઝિટિવિટી અને જુસ્સો જાળવી રાખીને સોનાલીએ આ જીવલેણ બીમારીને હરાવીને તે ભારત પરત ફરી હતી.સાજી થયેલી સોનાલી હવે શૂટીંગ કરવા પણ તૈયાર છે અને શક્ય છે કે ફેન્સ ટૂંક સમયમાં જ તેને સ્ક્રીન ઉપર ફરી નિહાળી શકે.
હાલમાં જ સોનાલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લખ્યું કે લાંબા આરામ બાદ સેટ પર પરત આવી છું. એક અજીબ અહેસાસ થઈ રહ્યો છે. હું કામ પર પરત આવીને ગૌરવ અનુભવું છું. મને નથી ખબર કે શબ્દોમાં આ ખુશી કઈ રીતે વર્ણવી શકીશ. કામ પર આવીને ખરેખર ખૂબ સારું લાગી રહ્યું છે.મારી લાગણીઓ મરી પરવારી હતી..ફરીથી કેમેરા સામે આવવાનું અને જે હાવભાવની જરૂર છે તેને બતાવવાના. છેલ્લા થોડા મહિનાથી જાણે મારી લાગણીઓ મરી પરવારી હોય તેવું લાગતું હતું. એવી લાગણી વ્યક્ત કરવીને સારું લાગે છે જે તમારા કામ માટે જરૂરી હોય.
કેન્સરને હરાવીને સેટ પર પરત ફરેલી સોનાલીની આ પોસ્ટને તેના અનેક ચાહકોએ બિરદાવી છે.એક ચાહક લખે છે કે તમે ખરા અર્થમાં વિજેતા છો.
તો બીજા એક ફેન્સે કામ પર પરત ફરવા બદલ શુભકામના પાઠવી અને કહ્યું કે જીવનમાં ક્યારેય નાસીપાસ ન થવું છેલ્લા થોડા સમયથી સોનાલી લેખન-વાંચન સાથે સંકળાયેલી છે અને તેણે એક બુક ક્લબ પણ શરૂ કર્યું છે. સોનાલીએ કેન્સરને હરાવીને મેસેજ આપ્યો છે કે જીવનમાં ક્યારેય નાસીપાસ થઈને બેસી ન જવું જોઈએ. હવે ફેન્સને આતુરતા રહેશે કે તેમની ફેવરિટ એક્ટ્રેસ ક્યારે પડદા પર ક્યારે જોવા મળશે.