Not Set/ દિલનું તુટવું એ બહુ દુ:ખદ હોય છે : શ્રદ્ધાએ કોને લઇને આવી હતાશા વ્યક્ત કરી,જાણો

મુંબઈ, બોલિવૂડમાં સામાન્ય રીતે દરેક એક્ટ્રેસે આવી સ્થિતિનો સામનો કરવો પડે છે શ્રદ્ધા કપુરનું નામ હંમેશા તેના સહકલાકાર સાથે જોડવામાં આવી રહ્યું છે. પહેલાં વરૂણ ધવન અને ‘આશિકી 2′ની સક્સેસ બાદ આદિત્ય રોય કપૂર સાથેના તેના રોમાન્સની ચર્ચા થવા લાગી હતી. એ પછી જાણીતા ડાયરેક્ટર ફરહાન અખ્તરની સાથે તેનું નામ જોડવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં એવી પણ ગોસીપ […]

Uncategorized
l દિલનું તુટવું એ બહુ દુ:ખદ હોય છે : શ્રદ્ધાએ કોને લઇને આવી હતાશા વ્યક્ત કરી,જાણો

મુંબઈ,

બોલિવૂડમાં સામાન્ય રીતે દરેક એક્ટ્રેસે આવી સ્થિતિનો સામનો કરવો પડે છે શ્રદ્ધા કપુરનું નામ હંમેશા તેના સહકલાકાર સાથે જોડવામાં આવી રહ્યું છે. પહેલાં વરૂણ ધવન અને ‘આશિકી 2′ની સક્સેસ બાદ આદિત્ય રોય કપૂર સાથેના તેના રોમાન્સની ચર્ચા થવા લાગી હતી. એ પછી જાણીતા ડાયરેક્ટર ફરહાન અખ્તરની સાથે તેનું નામ જોડવામાં આવ્યું હતું.

ઇન્ડસ્ટ્રીમાં એવી પણ ગોસીપ હતી કે શ્રદ્ધા ફરહાન સાથે રહેવા પણ જતી રહી છે.શ્રદ્ધાના ફરહાન સાથેના સંબંધોને લઇને તેના પિતા શક્તિ કપૂરે સખત વાંધો ઉઠાવ્યો હતો.

shraddha kapoor farhan akhtar के लिए इमेज परिणाम

જો કે, ‘રોક ઓન 2′ ફ્લોપ ગયા બાદ શ્રદ્ધા અને ફરહાન સાથેના  સંબંધોમાં ટેન્શન ક્રિએટ થયું હતું. આ બધા વચ્ચે દિલ તૂટી જતાં શ્રદ્ધા હજી સુધી અપસેટ હોય એમ જણાય છે. તેની ફિલ્મ ‘સ્ત્રી’નું ટ્રેલર લોન્ચ કરવાની ઇવેન્ટમાં આ ફિલ્મની ટીમે તેમને સૌથી વધુ દુ:ખ થયું હોય એવી બાબતો વિશે વાત કરી હતી. એ સમયે શ્રદ્ધાએ કહ્યું હતું કે, ‘દિલનું તૂટવું એ ખૂબ ખૂબ જ દુ:ખદ હોય છે.’ સોશિયલ મીડિયા યૂઝર્સ માની રહ્યા છે કે, તેણે ફરહાન અખ્તરના સંબંધમાં જ આ વાત કહી હતી.