ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ (Naba Kishore das) સાથે એક મોટી ઘટના બની છે. તેમને એક પોલીસ અધિકારીએ ગોળી મારી હતી. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના મુજબ તેઓ બ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. પોલીસ અધિકારીએ તેમના પર શા માટે ફાયરિંગ કર્યું તે કારણ બહાર આવ્યું નથી. ગોળી તેમની છાતીમાં વાગી હતી. પોલીસની ટીમ હુમલાખોરની પૂછપરછ કરી રહી હોવાની છેલ્લી માહિતી મળી છે.
અહેવાલો અનુસાર, ઓડિશાના આરોગ્ય પ્રધાન નબ કિશોર દાસને ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર પાસે એક પોલીસ અધિકારીએ ગોળી મારીને ઘાયલ કર્યા હતા. તેઓ બ્રજરાજનગરના ગાંધી ચોક ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી. કારમાંથી નીચે ઉતરતા જ ASIએ તેના પર ફાયરિંગ કર્યું હતું.
પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું
મીડિયા અહેવાલો અનુસાર હુમલાખોરે સ્વાસ્થ્ય મંત્રી નબ દાસ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી તેમની છાતીમાં વાગી હતી. આ ઘટના સવારે 11.15 કલાકે બની હતી. તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેને એરલિફ્ટ કરવામાં આવ્યો છે. ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવશે.
ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ દાસ પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસ તરીકે થઈ છે. તે ગાંધી ચોકમાં ASI તરીકે તૈનાત હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના પહેલાથી જ નક્કી હોવાનું કહેવાય છે. આ સિવાય નબા દાસની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની ટીમ હુમલાખોરની પૂછપરછ કરી રહી હોવાની છેલ્લી માહિતી મળી છે.
આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે સરકાર એક્શનમાં, સરકાર લાવી શકે છે કાયદો
આ પણ વાંચો:આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું : અમિત ચાવડા
આ પણ વાંચો:વડોદરાથી 15 લોકોની ATSએ કરી ધરપકડ, CCTV આવ્યા સામે
આ પણ વાંચો:5 વર્ષમાં ભારતે જીતી લીધું આકાશ, ISROએ અંતરિક્ષમાં લખ્યું હિંદુસ્તાન…હિન્દુસ્તાન
આ પણ વાંચો:વર્ષના પ્રથમ ‘મન કી બાત’માં PM મોદીએ કહ્યું- આપણે સ્વભાવે લોકશાહી સમાજ છીએ