સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે સી-પ્લેનને વચ્ચે ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એરલાઇન્સ કંપની SpiceJet એ જણાવ્યું હતું કે તે 27 ડિસેમ્બરથી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે સી-પ્લેન ફરી શરૂ કરશે. -આ બંને સ્થાનો વચ્ચે એરલાઇન્સની સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ નરેન્દ્ર મોદી) દ્વારા 31ક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. જો કે, એરલાઇને તેના લોકાર્પણના થોડા દિવસ પછી સેવા સ્થગિત કરી હતી.
removed / આ કંપનીના ભારતીય પ્લાન્ટના વાઇસ પ્રેસિડેન્ટને હટાવાયા, કર્મચ…
દિવસમાં 2 ઉડાન ભરશે
SpiceJetના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, SpiceJetની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની સ્પાઈસશટલ 27 ડિસેમ્બર 2020 થી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે તેની સી-પ્લેન સેવાઓ ફરી શરૂ કરશે. આ માર્ગ પર દરરોજ બે ઉડાન સંચાલિત રહશે પ્રવાસીઓ 20 ડિસેમ્બર, 2020 થી આ સેવાઓ માટે બુક કરાવી શકશે. અમદાવાદમાં જાળવણીના અભાવને કારણે 27 નવેમ્બર પછી કોઈ બુકિંગ કરાયું ન હતું.
Political / બંગાળમાં મમતાના પેંગળામાં પગ નાખી ભાજપ થશે સફળ ?…
40 મિનિટમાં 200 કિમીનું અંતર કાપશે
200 કિ.મી.ના અંતરે આ બંને સ્થાનો વચ્ચે મુસાફરી કરવામાં સી-પ્લેન 40 મિનિટ જેટલો સમય લેય છે. ઉદયન યોજના અંતર્ગત આ વિમાનમાં પ્લેનમાં મુસાફરી કરવા માટે વનવેનું ભાડુ 1500 રૂપિયા રહેશે. આ વિમાનમાં 12 લોકોની બેસવાની વ્યવસ્થા છે. સ્પાઈસ જેટએ ઉદયન યોજના અંતર્ગત દેશભરમાં 18 રૂટ સુરક્ષિત કર્યા છે. સ્પાઈસજેટની સાઈટ પરથી મુલાકાત લઈને ટિકિટ બુકિંગ કરી શકાય છે. સરકાર અન્ય રૂટો પર પણ સી-પ્લેન સેવા શરૂ કરશે. સરકારે ગુહાહાટી, આંદામાન-નિકોબાર અને દિલ્હી યમુનાથી ઉત્તરાખંડ સુધીના ટપ્પર બાંધ રૂટ પર સી-પ્લેન ચલાવવાની યોજના તૈયાર કરી છે.
big verdict / અનામત ક્વોટા માટે યોગ્યતાને પ્રાધાન્ય આપવું જોઈએ : સુપ્રીમ ક…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…