Gujarat News/ ખેડૂતો પર 350 કરોડ રૂપિયાનું આર્થિક ભાર, IFFCO દ્વારા ફોસ્ફેટિક ખાતરોમાં 250 રૂપિયા નો ભાવ વધારો

કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ગુજરાત સરકારને રાસાયણિક ખાતરોના ભાવોમાં ઘટાડો કરવાની માંગ કરી.

Top Stories Gujarat Breaking News

Gujarat News : IFFCOએ ફોસ્ફેટિક ખાતરોમાં 250 રૂપિયા નો ભાવ વધારો કર્યો છે, જે રાજ્યના ખેડૂતો પર આર્થિક આઘાત રૂપે સામેળ આવ્યું છે. આ વધારા દ્વારા ગુજરાતના ખેડૂતો પર 350 કરોડ રૂપિયાનું આર્થિક ભાર વધશે.

આ બદલાવને ધ્યાનમાં રાખતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યુ છે કે આ વધારાની પાછળ ભારતીય જનતા પાર્ટી (ભાજપા) સરકારએ ભાવ નિયંત્રણમાં લેવું જરૂરી છે. તેમણે આ વાત પર જીએસટી અને ભાવવધારોને આપત્તિજનક ગણાવતાં કહ્યું કે, ‘‘ભાજપાની ડબલ એન્જીન સરકાર આર્થિક રીતે પીડાતા ખેડૂતો માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરી રહી છે.’’

મનહર પટેલે ગુજરાત સરકારને રાસાયણિક ખાતરોના ભાવોમાં ઘટાડો કરવાની માંગ કરી છે. તેમણે ત્રણ મુખ્ય મુદ્દા ઊઠાવ્યા છે:

  1. રાસાયણિક ખાતરો પર લાગતો ટેક્ષ રદ્દ કરો.
  2. રાસાયણિક ખાતરો પર સબસિડી વધારવી.
  3. ખેડૂતોની આર્થિક સ્થિતિને અનુકૂળ બનાવવું અને સરકારી ખજાના પર વધુ બોજ ન પાડવો.

કોંગ્રેસે મોદી સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું છે કે ખેડૂતોને આર્થિક રીતે બેહાલ કરવામાં આવી રહ્યા છે. સરકરાને અરજ કરે છે કે ખેડૂતો માટે અનુકૂળ પગલાં લેવામાં આવ્યાં જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 26 જાન્યુઆરી પહેલા દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહેલા ખેડૂતોએ શંભુ બોર્ડરથી ફરી કૂચ શરૂ કરવાની જાહેરાત કરી

આ પણ વાંચો: જામનગરમાં ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

આ પણ વાંચો: સરકાર બજેટમાં ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયારીમાં, ક્રેડિટ કાર્ડ પર ₹5 લાખ લોનની અપેક્ષા