Mumbai News : પૂર્વ SEBI ચીફ માધવી બુચ પર FIR કરવાના આદેશ અપાયા છે. જેમાં મુંબઈની એક ખાસ ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે સેબીના પૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. માધવી ઉપરાંત, કોર્ટે શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ટોચના અધિકારીઓ સામે પણ કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પીટીઆઈએ શનિવારે આ માહિતી આપી. થાણે સ્થિત પત્રકાર સપન શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સ્પેશિયલ જજ એસ.ઈ. બાંગરે આ આદેશ આપ્યો છે. સપને સ્ટોક એક્સચેન્જમાં એક કંપનીના લિસ્ટિંગમાં મોટા પાયે નાણાકીય છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
ACBએ 30 દિવસની અંદર સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવો પડશે ફરિયાદ અને સહાયક દસ્તાવેજોની સમીક્ષા કર્યા પછી ન્યાયાધીશ બાંગરે આ આદેશ જારી કર્યો. ન્યાયાધીશે મુંબઈના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભારતીય દંડ સંહિતા, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને સેબી કાયદા હેઠળ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એસીબીને 30 દિવસની અંદર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
ફરિયાદીની ત્રણ દલીલો…
સેબીના અધિકારીઓ તેમની કાનૂની ફરજમાં નિષ્ફળ ગયા.
બજારમાં હેરાફેરીની કરવાની છૂટ આપવામાં આવી, જેનાથી રોકાણકારોને નુકસાન થયું.
નિયમોનું પાલન ન કરતી કંપનીઓને લિસ્ટિંગની મંજૂરી આપવામાં આવી
હવે માધબી બુચ વિશે જાણીએ
બુચે 1989માં ICICI બેંકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે 2007થી 2009 સુધી ICICI બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતી. તે ફેબ્રુઆરી 2009થી મે 2011 સુધી ICICI સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હતા.તે 2011 માં સિંગાપોર ગઈ અને ગ્રેટર પેસિફિક કેપિટલમાં કામ કર્યું. માધબીને નાણાકીય ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે અને તેઓ અગાઉ સેબીની વિવિધ સમિતિઓમાં સેવા આપી ચૂક્યા છે. તે હાલમાં તેની સલાહકાર સમિતિમાં પણ હતી.
અમેરિકન કંપની હિન્ડનબર્ગ રિસર્ચે શનિવારે (19 ઓગસ્ટ) રાત્રે 9:57 વાગ્યે એક રિપોર્ટ બહાર પાડ્યો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ અદાણી ગ્રુપ સાથે જોડાયેલી એક ઓફશોર કંપનીમાં હિસ્સો ધરાવે છે. વ્હિસલબ્લોઅર દસ્તાવેજોના આધારે, હિન્ડેનબર્ગે દાવો કર્યો હતો કે બુચ અને તેના પતિ ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડ નામની મોરેશિયસ સ્થિત ઓફશોર કંપનીમાં હિસ્સો ધરાવે છે.
હિંડનબર્ગે આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ ‘ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડ’માં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. આ પૈસાનો ઉપયોગ અદાણી ગ્રુપના શેરના ભાવ વધારવા માટે કરવામાં આવ્યો હતો.બુચ 16માર્ચ, 2022 સુધી એગોરા પાર્ટનર્સ સિંગાપોરના 100% શેરહોલ્ડર રહ્યા અને સેબી સભ્ય તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ તેની માલિકી જાળવી રાખતા રહ્યા. સેબીના અધ્યક્ષ તરીકે નિમણૂક થયાના 2 અઠવાડિયા પછી, તેમણે પોતાના શેર તેમના પતિના નામે ટ્રાન્સફર કર્યા.
કોંગ્રેસ પાર્ટીએ સેબીના વડા સામે પણ આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસે તેમના પર સેબી સાથે સંકળાયેલા રહીને ICICI બેંક સહિત ત્રણ સ્થળોએથી પગાર લેવાનો આરોપ લગાવ્યો હતો.કોંગ્રેસના પ્રવક્તા ખેડાએ કહ્યું હતું કે, ‘માધબી પુરી બુચ 5 એપ્રિલ, 2017 થી 4 ઓક્ટોબર, 2021 સુધી સેબીના પૂર્ણ-સમય સભ્ય હતા.’ ત્યારબાદ 2 માર્ચ, 2022ના રોજ, માધબી પુરી બુચ સેબીના અધ્યક્ષ બન્યા.
સેબીના અધ્યક્ષની નિમણૂક કરતી કેબિનેટમાં પીએમ મોદી અને અમિત શાહનો સમાવેશ થાય છે.
જોકે, સેબીના વડા અને ICICI બેંક બંનેએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. બેંકે કહ્યું, ‘માધબીને બેંકમાંથી નિવૃત્તિ પછી કોઈ પગાર કે કર્મચારી સ્ટોક વિકલ્પ આપવામાં આવ્યો ન હતો.’ તેણે હમણાં જ નિવૃત્તિ લાભો લીધા.
આ પણ વાંચો: ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર
આ પણ વાંચો: દિલ્હીમાં ગરમીનો પારો ઉંચક્યો, દેશના આ ભાગોમાં બરફવર્ષા, દેશનું હવામાન અપડેટ વાંચો
આ પણ વાંચો: આગામી 2 દિવસમાં ગરમીનો પારો વધશે, હવામાન વિભાગે કરી આગાહી
