ગુજરાત ના મહાનગરો ની વાત કરીએ તો મોખરે આવતું હોય તો તે સુરત શહેર છે . સુરત આમ પણ હીરા ઉદ્યોગ માટે ખુબ જાણીતું છે . તેમજ કાપડ ઉધોગ પણ સુરત માં જોવા મળે છે . ઉધોગનગરી સુરતને કહીએ તો પણ તેમાં કઈ ખોટું નથી .સુરતમાં રહેતા ઉદ્યાગપતિએ અને ઉદ્યોગને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના ની આ મહામારી ની અસર બધા ઉદ્યાોગ- ધંધા પર માઠી અસર જોવા મળી છે. ફ્લાઈટ સેવામાં પણ તેની ગંભીર અસર જોવા મળી હતી. વધતા જતા કેસો ને લીધે હવે ફ્લાઈટ સેવા બંધ કરવામાં આવી હતી . હવે જયારે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે ત્યારે સુરતમાં વધુ ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. સુરતમાં આગામી દિવસોમાં વધુ પાંચ જેટલી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે છે જેને લઇને ઉદ્યાગપતિની અને સુરતીઓમાં ખુશી જોવા મળી રહી છે આ ફ્લાઈટ સેવા 16 અને 17 જૂલાઈ બાદ શરૂ કરવામાં આવશે .
ફ્લાઈસ જેટની આ સેવા સુરતથી જયપુરની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે તેની સાથે પુણે, હૈદરાબાદ, બેંગ્લુરુ, અને જબલપુરની ફ્લાઈટ સેવા પણ શરૂ કરાશે, સુરતમાં ફ્લાઈટ સેવામાં વધારો કરાતા સુરતવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.