Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રસંગે 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા (Sayala) તાલુકાના સુદામડા ગામ (Sudamada Village) માં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા 300 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. આ ઘટના જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બની હતી. ફૂડ પોઈઝનિંગથી (Food Poisoning) અસરગ્રસ્ત લોકોથી હોસ્પિટલો ભરાઈ ગઈ હતી.

Gujarat Others

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા (Sayala) તાલુકાના સુદામડા ગામ (Sudamada Village) માં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા 300 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. આ ઘટના જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બની હતી. ફૂડ પોઈઝનિંગથી (Food Poisoning) અસરગ્રસ્ત લોકોથી હોસ્પિટલો ભરાઈ ગઈ હતી.

સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરાયા હતા. વધુ બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. સાયલા તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. લીંબડી નાયબ કલેક્ટર, ડીવાયએસપી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ સુદામડા પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ચાર ટીમો સાથે એમ્બ્યુલન્સનો કાફલો સુદામડા ખાતે રવાના કરાયો હતો.

આ અંગે લીંબડી નાયબ કલેકટરે જણાવ્યું હતું કે, આજે સુદામડા ગામમાં બપોરે માતાજીનો કાર્યક્રમ યોજાયો હતો, ખોરાકમાં કોઈ ઝેરી અસર થઈ હશે, જેના કારણે અનેક લોકો બીમાર પડ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 200 લોકોને સુદામડા પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે અને તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આમાંથી કોઈ ગંભીર નથી, તેથી કોઈને ખસેડવામાં આવ્યા નથી. કેટલાક લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

હાલ પીએચસીમાં 10 થી 20 જેટલા લોકો દાખલ છે. પરંતુ 200 થી 300 લોકોને ફૂડ પોઇઝનીંગની અસર થઇ છે. 6 મેડિકલ ઓફિસર હાજર છે અને 3-4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. સુરેન્દ્રનગર અને લીંબડીની હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ સુધી ફૂડ પોઈઝનિંગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં 30થી વધુને ફૂડ પોઈઝન થયું

આ પણ વાંચો: યુવતીએ કેમ ભોજનમાં ઝેર ભેળવી પોતાના જ પરિવારના 13 સભ્યોને મારી નાખ્યા, જાણો કિસ્સો

આ પણ વાંચો: દ્વારકામાં ફૂડ પોઈઝનિંગથી એકનું મોત, 6 લોકો સારવાર હેઠળ