કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે ગયા છે. તેમણે ગુરુવારે બેલ્જિયમના બ્રસેલ્સમાં યુરોપિયન સંસદમાં MEPs (યુરોપિયન સંસદના સભ્યો) સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો.એમઈપી એલ્વિના અલ્મેત્સા અને એમઈપી પિયર લારોઉટોરોએ મીટિંગનું સહ-યજમાન કર્યું. રાહુલ ગાંધી મંગળવારે યુરોપના પ્રવાસે રવાના થયા હતા. તેઓ શુક્રવારે કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કર્યા બાદ બપોરે બ્રસેલ્સમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધશે.
Shri @RahulGandhi at a round table with MEPs in the European Parliament, co-hosted by MEP Alviina Almetsa (Shadow Rapporteur on EU-India Relationship) and MEP Pierre Larrouturou (portfolios within Parliamentary budget, climate & employment generation).
📍Brussels, Belgium pic.twitter.com/cCoHfa44ra
— Congress (@INCIndia) September 7, 2023
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી યુરોપિયન યુનિયન (EU)ના વકીલો, વિદ્યાર્થીઓ અને ભારતીય મૂળના ઈમિગ્રન્ટ્સ સાથે મુલાકાત કરવાના છે. આ બાદ તેઓ રાહુલ ગાંધી પેરિસ જવા રવાના થશે.રાહુલ ગાંધી 8 સપ્ટેમ્બરે ફ્રાન્સની રાજધાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને 9 સપ્ટેમ્બરે ફ્રાન્સના સાંસદો સાથે બેઠક કરશે. આ સાથે તેઓ સાયન્સ પો.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તેમનો પેરિસમાં ફ્રાન્સના મજૂર સંઘની બેઠકમાં ભાગ લેવાનો પણ કાર્યક્રમ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી 10 સપ્ટેમ્બરે નેધરલેન્ડ જવા રવાના થશે. ત્યાં તેઓ 400 વર્ષ જૂની લીડેન યુનિવર્સિટીની મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. 11 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના નેતા નોર્વે જશે જ્યાં તેઓ ઓસ્લોમાં દેશના સાંસદોને મળશે અને સ્થળાંતર કરનારાઓ માટે એક કાર્યક્રમને સંબોધિત કરશે.એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ રાહુલ ગાંધી માટે એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જી-20 સમિટના એક દિવસ બાદ 12 સપ્ટેમ્બરે રાત્રે તેઓ દેશ પરત ફરવાના છે. જી-20 લીડર્સ સમિટ દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.