પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. તેમણે 79 વર્ષની વયે દુબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જનરલ (સેવા નિવૃત્ત) પરવેઝ મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા.
પરવેઝ મુશર્રફનો છેલ્લો વીડિયો સામે આવ્યો હતો જે દર્શાવે છે કે તેઓ ચાલી શકતા નથી. તે વ્હીલ ચેર પર સંપૂર્ણપણે નિર્ભર હતા અને ખોરાક પણ ખાઈ શકતા ન હતા.
પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ નવી દિલ્હીના દરિયાગંજમાં થયો હતો. 1947માં તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. ભાગલાના થોડા દિવસ પહેલા જ તેમનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો હતો. તેના પિતા સઈદે નવી પાકિસ્તાન સરકાર માટે કામ કરવાનું શરૂ કર્યું અને વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા હતા.
આ પછી તેમના પિતાની પાકિસ્તાનથી તુર્કીમાં બદલી થઈ ગઈ, 1949માં તેઓ તુર્કી ગયા. થોડો સમય તેઓ તેમના પરિવાર સાથે તુર્કીમાં રહ્યા હતા, જ્યારે તેમણે તુર્કી ભાષા બોલવાનું પણ શીખી લીધું હતું. મુશર્રફ પણ યુવાનીમાં ખેલાડી રહી ચૂક્યા છે. 1957માં તેમનો આખો પરિવાર ફરીથી પાકિસ્તાન પરત ફર્યો. તેમ કરાચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં અને લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાં સ્કૂલનો અભ્યાસ કર્યો.
આપને જણાવી દઈએ કે પરવેઝ મુશર્રફ એ વ્યક્તિ છે જેમને પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આવી સજા સંભળાવી છે.
પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં 3 નવેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનમાં ઈમરજન્સી લાદવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 79 વર્ષીય મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહેતા હતા.
આ પણ વાંચો: એરફોર્સ સ્ટેશનના 10 કિમીના દાયરામાં નહીં મળે ‘નોન-વેજ’, વેચનાર સામે થશે કાર્યવાહી, આ છે મોટું કારણ
આ પણ વાંચો:પીએમ મોદી આજે ‘જયપુર મહાખેલ’ના સહભાગીઓને કરશે સંબોધિત