Not Set/ જુનાગઢ/ તળાવમાં કાર ખાબકતા ગોધરાના ચાર આશાસ્પદ યુવાનના મોત

મેંદરડા નજીક કાર તળાવમાં ખાબકી તળાવમાંથી 4 યુવકોના મૃતદેહ મળી આવ્યા ચારેય યુવાન ગોધરાથી લાપતા હતા. જૂનાગઢ પાસે મેંદરડા નજીક કાર તળાવમાં ખાબકી હતી. કારમાં બેઠેલા 4 યુવાનોના ડુબવાથી મોત થયા છે. આ ચારેય યુવાન ગોધરાના રામપુરાના રહેવાસી હતા. અને છેલ્લા બે દિવસથી આ ચારેય યુવાનો લાપતા હતા. ગુમસુદા આ ચારેય યુવાનોની કર તળાવમાં ખાબકતા […]

Top Stories Gujarat Others
મેદારડા જુનાગઢ/ તળાવમાં કાર ખાબકતા ગોધરાના ચાર આશાસ્પદ યુવાનના મોત

મેંદરડા નજીક કાર તળાવમાં ખાબકી

તળાવમાંથી 4 યુવકોના મૃતદેહ મળી આવ્યા

ચારેય યુવાન ગોધરાથી લાપતા હતા.

જૂનાગઢ પાસે મેંદરડા નજીક કાર તળાવમાં ખાબકી હતી. કારમાં બેઠેલા 4 યુવાનોના ડુબવાથી મોત થયા છે. આ ચારેય યુવાન ગોધરાના રામપુરાના રહેવાસી હતા. અને છેલ્લા બે દિવસથી આ ચારેય યુવાનો લાપતા હતા. ગુમસુદા આ ચારેય યુવાનોની કર તળાવમાં ખાબકતા મોત નીપજ્યાં છે.

ગોધરાના પટેલ પરિવાર ના આ ચારેય યુવાન વીરપુર દર્શનાર્થે નીકળ્યા હતા. પરંતુ હવે તેમના મૃતદેહ પરત આવતા ગામ આખું શોકમગ્ન બન્યું છે. મેંદરડા ખાતે ફાયર ફાયરબ્રિગેડ દ્વારા ગાડી કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે. ગોધરાના રામપુરા ગામના 4 યુવાનો ગુમ થયા હતા. જેને આજે મૃત દેહ મળી આવતા લોકોમાં શોકનો માહોલ છવાયો છે.

ચારેયના મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવમ આવ્યા છે. અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

આગળની કાર્યવાહી પોલીસ દ્વારા ધરાઈ હાથ

જૂનાગઢના મેંદરડા પાસે તળાવમાં એક કાર ખાબકી હતી જેમાં સવાર ચારેય યુવાનોના મોત થઈ ગયા છે આ ચારેય યુવાનો ગોધરાના રામપુરના રહેવાસી છે. મંગળવાર રામપુર વાસીઓ માટે અમંગળ બન્યો હતો કારણ કે ચારેય યુવાનો પટેલ પરિવારના છે અને ઘરેથી શનિવારે વીરપુર દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ હવે તેમની લાશ ગામમાં પરત આવતા આખુ રામપુર હીબકે ચઢ્યુ હતુ.

શનિવારે 7મી ડિસેમ્બરના રોજ રામપુર ગામના ચાર યુવાનો વીરપુર દર્શન કરવા માટે કાર લઈને નીકળ્યા હતા. રવિવારથી તેમનો કોઈ સંપર્ક થી શક્યો નાં હતો. તેમની સાથે છેલ્લે  જૂનાગઢના મેંદરડા હાઈવે ઉપર સંપર્ક થયો હતો. જેને પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

અકસ્માત કેવી રીતે થયો

પોલીસ તપાસ કરી રહી છે કે કાર તળાવમાં કેવી રીતે ખાબકી અને સ્થાનિક લોકને આ અંગે માહિતી છે કે કેમ..? ચારેય યુવાનો ગોધરાના રામપુર ગામના વતની છે જેમના નામ જીદર પટેલ, પીનાકીન પટેલ, મૌલીન પટેલ, મોહિત પટેલ, છે. એક સાથે ગામના 4 નવયુવાનોની લાશ પરત આવતા રામપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.