Jamnagar News/ જામનગરમાં માતા પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ, FIR નોંધાઈ

તેથી આખરે ગુમ થયાની પરિવારજનો દ્વારા જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે.

Top Stories Gujarat

Jamnagar News: જામનગર (Jamnagar)માં મહિલા અને તેનો પુત્ર ગુમ (Missing) થતાં ચકચાર મચી ગઈ છે, સાથે ખાનગી બેંક (Private Bank)નો કર્મચારી અને કાલાવડના જસાપરનો શ્રમિક ગુમ થતાં પોલીસ સ્ટેશન (Police Station)માં ફરિયાદ (FIR) નોંધવામાં  આવી છે.

જામનગર શહેરમાં ખેતીવાડી ફાર્મ નજીક ઇન્દિરા કોલો (Indira colony)ની શેરી નંબર પાંચમાં રહેતી મનીષાબેન સુરેશભાઈ ખીમસુરીયા નામની ૩૦ વર્ષની પરણીતા ગઈકાલે પોતાના ઘેરથી પોતાના ચાર વર્ષના પુત્ર ધાર્મિકને સાથે રાખીને એકાએક ક્યાંક ચાલી ગઈ હતી.

જેથી પરિવારજનો દ્વારા તેના સગા સંબંધી સહિત અનેક સ્થળોએ તપાસ કરાવાઈ હતી, પરંતુ મનિષાબેન ના કોઈ પતો સાંપડ્યો ન હતો, જેથી પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી, અને મનીષાબેનના પતિ સુરેશભાઈ ખીમસુરીયાએ જામનગર (Jamnagar)ના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત જામનગરમાં તિરુપતિ સોસાયટી, પુષ્પક પાર્ક શેરી નંબર -2 માં રહેતા અને જામનગરની આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક નોકરી કરતા નિતેશકુમાર કાંતિલાલ પટેલ કે જે ગઈકાલે પોતાના ઘેરથી નોકરીએ જવાનું કહીને નીકળ્યા પછી આજ સુધી તેનો કોઈ પતો સાંપડ્યો નથી, તેથી આખરે ગુમ થયાની પરિવારજનો દ્વારા જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ (Missing complain) કરાવાઈ છે.

ગુમ થવાનો ત્રીજા કિસ્સો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં બન્યો હતો. જ્યાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રકાશ અરશીભાઈ સોલંકી પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા બાદ એકાએક લાપતા બન્યો હતો, અને બે દિવસની શોધખોળ પછી પણ તેનો કોઈ પત્તો નહીં સાંપડતાંઝ આખરે કાલાવડ પોલીસ મથકમાં ગુમ નોંધ
કરાવાઈ છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પરીક્ષા આપ્યા બાદ 2 સગીરાઓ થઈ ગુમ, પોલીસે નોંધી અપહરણની ફરિયાદ

આ પણ વાંચો:ગુમ યુવકની લાશ મળી, ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ શંકાના ઘેરામાં

આ પણ વાંચો:જામનગર જિલ્લામાંથી બે યુવતી ગુમ થતાં ખળભળાટ