Ahmedabad News: અમદાવાદમાં છેતરપિંડીના કિસ્સા અને કિમીયા વધ્યા છે. શહેરમાં છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શેરબજારમાં IPO લાવવાને લઈને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી. ઠગાઈનો મામલો સામે આવતા પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં છેતરપિંડીના બનાવો વધવા લાગ્યા છે. લોકોમાં લાલચ વધી છે કે પછી લોકોમાંથી સત્યતા અને પ્રમાણિકતા ગુમ થઈ રહી છે. ચોરી કરવી અને લોકો સાથે રૂપિયા પડાવવા છેતરપિંડી કરવી હવે સામાન્ય બનવા લાગ્યું છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે તેમાં IPO બજારમાં લાવવાના નામે લાખો રૂપિયા પડાવવામાં આવ્યા. વેપારીને બજારમાં IPOથી થતા લાભ લેવાનું જણાવી તેટલી કિંમતના શેર આપવાનું કહ્યું હતું. ભેજાબાજે વેપારી પાસેથી બજારમાં IPO લાવવાના નામે ઓનલાઈન રૂપિયા 2 કરોડ પડાવી છેતરપિંડી કરી. ક્રાઇમ બ્રાન્ચે ઠગાઈ કરનાર 3 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.
આ પણ વાંચો: જામનગરના 4 આહીર પરિવારજનોના સામુહિક આપઘાત પ્રકરણમાં 2ની ધરપકડ
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો
