New Delhi News: PNB લોન કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સી (Mehul Choksi)ની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા મેહુલ ચોક્સીને બેલ્જિયમમાં શોધી કાઢવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2021 ના અંતમાં, મેહુલ ચોક્સી એન્ટિગુઆ (Antigua)થી ભાગી ગયો હતો અને બેલ્જિયમ પહોંચી ગયો હતો. 65 વર્ષીય ચોક્સી શનિવાર 12 એપ્રિલના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અપીલના આધારે ધરપકડ કરવામાં આવી હતી. હવે તેના પ્રત્યાર્પણની તૈયારીઓ કરવામાં આવશે.
13500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી
મેહુલ ચોકસી (Mehul Choksi)એ પંજાબ નેશનલ બેંકમાંથી 13500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કર્યા પછી, ચોક્સી ધરપકડથી બચવા માટે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પ (Antwerp)માં રહેતો હતો કારણ કે પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમ (Belgium)ની નાગરિકતા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમની પાસે બેલ્જિયમમાં ‘એફ રેસીડેન્સી કાર્ડ’ હતું અને તેઓ સારવાર માટે એન્ટિગુઆથી બેલ્જિયમ આવ્યા હતા.
ચોક્સી નીરવ મોદી સાથે ભાગી ગયો હતો
પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) લોન છેતરપિંડીનો કેસ પ્રકાશમાં આવે તે પહેલાં જ, મેહુલ ચોક્સી (Mehul Choksi) જાન્યુઆરી 2018 માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. PNB લોન કૌભાંડ ભારતનું બીજું સૌથી મોટું બેંક કૌભાંડ હતું. બેંક છેતરપિંડી પ્રકાશમાં આવે તે પહેલાં જ ચોકસીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. 2021 માં, જ્યારે ચોક્સી ક્યુબા (Quba) જઈ રહ્યો હતો, ત્યારે તે ડોમિનિકામાં પકડાઈ ગયો. ધરપકડ બાદ મેહુલે કહ્યું હતું કે આ બધું રાજકીય ષડયંત્રને કારણે થઈ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે EDએ ભારતમાં તેમની મિલકતો ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે.
આ પણ વાંચો:ભાગેડુ મેહુલ ચોક્સી આ દેશમાં છુપાયો, બનાવટી દસ્તાવેજો બતાવીને મેળવ્યું રેસિડેન્સી કાર્ડ
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે મેહુલ ચોક્સી સામે ATS તપાસ માટે આપી મંજૂરી, ભાગેડુ હીરા વેપારીની મુશ્કેલીઓ વધી
આ પણ વાંચો:ભારતના ભાગેડુ ઉધોગપતિ મેહુલ ચોક્સીએ પ્રત્યાર્પણથી બચવા માટે જાણો શું કર્યું

