રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી એક નાની વાટકી, લાકડાની બે ચમચી અને લાકડાના કાંટા(ફોર્ક)ની હરાજી 10 જાન્યુઆરીના રોજ યુકેના બ્રિસ્ટોલમાં થવાની છે. પ્રારંભિક કિંમત 55 હજાર બ્રિટીશ પાઉન્ડ છે. ભારતમાં આની કિંમત 1.2 કરોડ રૂપિયા હોઈ શકે છે, જેમાં હરાજી કમિશન, જીએસટી, વીમો, ભાડુ અને ભારતીય કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. જો કે, આ સૌથી નીચો અંદાજ છે.એક અંદાજ છે કે, તેમની કિંમત 80 હજાર બ્રિટીશ પાઉન્ડ મળી શકે છે અને આનો અર્થ એ છે કે ભારતમાં તેમની કિંમત 2 કરોડ રૂપિયા થઈ શકે છે.
gold / શા માટે સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે થયો વધારો, ચાંદીના ભા…
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઇસ્ટ બ્રિસ્ટોલના હરાજીકર્તાઓએ જણાવ્યું હતું કે, સેટનો ઉપયોગ ગાંધી દ્વારા પૂનાના આગા ખાન પેલેસ (1942–1944) અને મુંબઈના પામ બાન હાઉસમાં કરવામાં આવ્યો હતો. બાઉલ સરળ ધાતુથી બનેલો છે, બેસ પર 208/42 મુદ્રિત છે. કટલરીમાં લાકડાના કાંટો અને કોતરણી કરેલી લાકડાની બે ચમચી પણ છે જે પરંપરાગત અને સરળ છે. આ બધાનો ઉપયોગ ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો અને તે સુમતિ મોરારજીના સંગ્રહમાંથી છે.જે લાંબા સમય સુધી ગાંધીના મિત્ર અને અનુયાયી હતા અને ઘણા પ્રસંગોએ ગાંધીજીની સંભાળ રાખતા હતા. તેઓએ આ વસ્તુઓનો ઉલ્લેખ તેમના પુસ્તકમાં કર્યો છે. હરાજીકર્તાઓ વતી કહેવામાં આવ્યું છે કે આ માત્ર ગાંધી સાથે જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને લગતી ઐતિહાસિક કલાકૃતિઓ છે.
Republic Day parade / કોરોના મહામારી વચ્ચે પ્રજાસત્તાક પર્વની પરેડ કંઈક આ રીતે યોજ…
આ હરાજીમાં બિડ ખૂબ અનિશ્ચિત હોય છે અને સમયે ભાવ અપેક્ષિત કરતા બે કે ત્રણ ગણા વધારે હોઈ શકે છે. વૈશ્વિક ઓવનલાઇન હરાજીના કિસ્સામાં આ વધુ સાચું સાબિત થાય છે.ગાંધીજીના વારસાના પત્રો, ફોટોગ્રાફ્સ, ચિત્રો, પુસ્તકો, સેન્ડલ, ચશ્મા અને અન્ય વસ્તુઓ સંગ્રહ કરતા લોકો – સંસ્થાઓને વિશ્વભરમાં આકર્ષે છે. જોકે, ગાંધી વતી વ્યક્તિગત રૂપે વપરાયેલી ચીજોની હરાજી ભાગ્યે જ થાય છે. બાઉલ, ચમચીની આ જોડી ઉત્તમ છે. આ મહાત્મા ગાંધીના પ્રખ્યાત અનુયાયી સુમતિ મોરારજીના સંગ્રહમાંથી છે.
Winter / રાજ્ય સહિત દેશભરમાં કાતિલ ઠંડીનું જોર હજુ રહેશે યથાવત, આ શહે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…