અવસાન/ ધ ગ્રેટ ખલીના માતાશ્રીનું નિધન

ખલીની માતાનું મોત

Top Stories
ખલી ધ ગ્રેટ ખલીના માતાશ્રીનું નિધન

આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ દલીપસિંહ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલીની  માતા તંડી દેવીનું રવિવારે નિધન થયું હતું. તે લાંબા સમયથી લુધિયાણાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તંડી દેવી લાંબા સમયથી બીમારી હતા. તેમના મોતને કારણે સિરમોરમાં શોકમગ્ન બન્યું છે. તેમનો મૃતદેહ રવિવારની મોડી રાત સુધીમાં ગામ નૈનિધાર પહોંચશે. જ્યાં સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મહાન ખલીની માતા તાંડી દેવીની તબિયત લથડતી હતી. બાદમાં તેમને 14 જૂને લુધિયાણાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે તેમની હાલત નાજુક બનતા તેમને આઈસીયુમાં દાખલ કરાયા હતા.ત્યાં તેમણે અતિંમ શ્વાસ લીધા હતા

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં સેલીબ્રિટી અને તેમના પરિવારના લોકોના મોત થઇ રહ્યા છે થોડા દિવસ પહેલા જ બોમન ઇરાનીની માતાનુમ નિધન થયું હતું. ગ્રેટ ખલીના માતાશ્રીનું પણ મોત નિપજ્યું છે. તેમની માતા તંડી દેવીની ઉમર 79 હતી તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને આઇસીયુનાં દાખલ કરાયા હતા .ત્યાં તેમનું મોત નિપજયું હતું