- ઈન્ડોનેશિયામાં મસ્જિદનો ગુંબજ ધરાશાયી
- જકાર્તાની ઈસ્લામિક સેન્ટર મસ્જિદની ઘટના
- રિનોવેશન દરમિયાન લાગી ભીષણ આગ
- ભીષણ આગ બાદ ગુંબજ થયો ધરાશાયી
- ધરાશાયી થતા ગુંબજનો વીડિયો વાયરલ
- મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું
જકાર્તામાં ઈસ્લામિક સેન્ટરમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બતાવવામાં આવ્યું છે કે મસ્જિદનો ગુંબજ પડી ગયો છે. ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ગુંબજનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન તે આગથી નાશ પામ્યો હતો.
ઈન્ડોનેશિયાના જકાર્તામાં ઈસ્લામિક સેન્ટરની મોટી મસ્જિદમાં બુધવારે આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન મસ્જિદનો વિશાળ ગુંબજ તૂટી પડ્યો હતો. જોકે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. જકાર્તા ઈસ્લામિક સેન્ટરમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બતાવવામાં આવ્યું છે કે મસ્જિદનો ગુંબજ પડી ગયો છે. ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ અધિકારીઓએ કહ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગુંબજનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન તે આગથી નાશ પામ્યો હતો.
What’s going on in Indonesia!?
The Grand Mosque in Jarkata… pic.twitter.com/r2vAKOqSUb
— Peter Spina ⚒ GoldSeek | SilverSeek (@goldseek) October 19, 2022
ઈન્ડોનેશિયાના મીડિયા અનુસાર આ ઘટના બુધવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. વીડિયો ફૂટેજમાં મસ્જિદનો ગુંબજ ધરાશાયી થયો તે પહેલા જ મસ્જિદમાંથી જ્વાળાઓ અને ધુમાડા નીકળતા જોઈ શકાય છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગની ઘટના સમયે ઈસ્લામિક સેન્ટરનું રિનોવેશન ચાલી રહ્યું હતું. પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે અને બિલ્ડિંગમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોની પૂછપરછ કરી રહી છે.
ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ, ગુંબજમાં આગ ઓલવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, જ્યારે તે તૂટી પડ્યો. જો કે, આગ ઘણી વહેલી શરૂ થઈ ગઈ હતી, જેથી આસપાસમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેથી જ્યારે ગુંબજ પડી ગયો ત્યારે કોઇપણ પ્રકારનું નુકસાન થયું ન હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.
20 વર્ષ પહેલા પણ મસ્જિદમાં આગ લાગી હતી
વિશાળ મસ્જિદ ઉપરાંત, આ ઇસ્લામિક સેન્ટર સંકુલમાં શૈક્ષણિક, વ્યાપારી અને સંશોધન સુવિધાઓ પણ છે. છેલ્લી વખત મસ્જિદના ગુંબજમાં લગભગ 20 વર્ષ પહેલા સમારકામ દરમિયાન આગ લાગી હતી. ઓક્ટોબર 2002માં લાગેલી આગને ઓલવવામાં પાંચ કલાક લાગ્યા હતા.
