રેલવેના મુસાફરો માટે એક ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષના અંત સુધીમાં 200 મેલ એક્સપ્રેસ શ્રેણીની ટ્રેનોમાં 25,600 બર્થ નો વધારો કરવામાં આવશે. આ બસ 21 નવી ટ્રેનોની બર્થ સમાન હશે. જેમાં મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે. આવુ એ કારણે શક્ય થશે કે ટ્રેનોમાં એક નવી લિંક હોફમેન બુશ લગાવવામાં આવશે.
Cricket / કેપ્ટન રહાણેએ ફટકારી શાનદાર સદી, ભારત મજબૂત સ્થિતિમાં…
આ ટ્રેનો જૂની ડિઝાઇનના કોચની સાથે ચાલી રહી છે. જેમાં કોચની લંબાઈ 23 મીટર હોય છે. 24 કોચ વાળી એક ટ્રેનમાં સરેરાશ 11,060 બર્થ હોય છે. હવે મુસાફરો માટે આ જૂની ટ્રેનોમાં તેની જગ્યા પર આધુનિક સુવિધા વાળા નવા કોચ લગાવવામાં આવી રહ્યા છે. આ કોચનું નિર્માણ જર્મન કંપની લિંક હોફ મેન બુશ (hlb) ની ટેકનિકલ સહાયતા થી કપૂરથલા, રાયબરેલી અને ચેન્નઇ સ્થિત ફેક્ટરીઓમાં કરવામાં આવી રહ્યું છે. આ કોષ ની લંબાઈ 24 મીટર હોય છે જેમાં 4 થી 8નો વધારો થઇ શકે એ હિસાબે 22 કોચ વાળી એક ટ્રેનમાં સરેરાશ 128 બર્થનો વધારો થશે.
Gujarat / રાજ્યમાં બુલેટ પ્રોજેક્ટમાં હવે બુલેટ ગતિ…
આ કોચની ખાસિયતો
આ કોચમાં સેન્ટર બફર, કલ્ફર લગાવવામાં આવ્યા છે.જેનાથી દુર્ઘટના સમયે કોઈ એક બીજા પર ચઢી ન જાય અને જાનહાનિની શક્યતા નહીંવત રહે.
200 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ટ્રેનની સક્ષમતા કે જેનાથી ઓછો અવાજ આવે છે.
બહારની દીવાલો વધારે મજબૂત હોય છે અંદરના ભાગમાં સ્ક્રુ હોતા નથી. દુર્ઘટનાની સ્થિતિમાં યાત્રીઓને ઇજાની સંભાવના ઓછી રહે છે.
Political / સોવિયત સંઘની જેમ ભારતનાં પણ થઇ જશે ટુકડે-ટુકડા : સંજય રાઉત…
આ ટ્રેન હબિંગ ગંજ સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન સ્ટેશનની વચ્ચે ચાલી રહી છે.
જેમાં અત્યારે 24 કોચ લગાવવામાં આવ્યા છે, જે જૂની ડિઝાઇન માં છે. સ્લીપર કોચ મા થી પણ એક કોચમાં 72, સ્થળ એસીમાં 64, સેકન્ડ એસીમાં 46, ફર્સ્ટ એસી માં 20 બર્થ છે.
આ ટ્રેન 1 જાન્યુઆરીથી નવા એચએલબી કોચ સાથે ચાલશે. નવા કોચમાં સ્લીપર શ્રેણીના કોચમાં 8, થર્ડ એસિમાં 8, સેકન્ડ એ.સી માં 6, ફર્સ્ટ એસીમા 4 બર્થનો વધારો થશે.નવા વર્ષમાં ભોપાલ રેલવે મંડળની બાકી ટ્રેનોમાં પણ નવા કોચ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…