વલસાડ,
વલસાડથી ઘાસચારો ભરેલી ટ્રેન કચ્છ આવી પહોંચી હતી. રેલવે મારફતે 4.50 લાખ કિલો ઘાસ ભરેલી ટ્રેન ભુજ પહોંચી હતી. કલેક્ટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ટ્રક મારફતે કચ્છમાં ધાસનો જથ્થો ફાળવામાં આવી રહ્યો છે. દુષ્કાળની સ્થિતિને લઈ ટ્રેન મારફતે ઘાસ મંગાવામાં આવ્યું હતું. હજી વધુ ઘાસ ભરેલી રેક વલસાડથી રવાના કરાશે.