અમરેલીના ચાંદલિયા ડુંગરના મહંતનો ફરી એક વાર વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં લવકુશમુની રાજ્ય સરકાર સામે આક્ષેપો કર્યા છે. આ વિડીયો દ્વારા મહંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાય અને રક્ષાની માંગણી કરી છે. આ વિડીયોમાં લવકુશમુનીએ તે પણ જણાવ્યું છે કે, કોઇ રાજકીય મોટા માથા તેમને હેરાન કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે પૂર્વે પણ અમરેલીનાં ચાંદલિયા ડુંગરના મહંત લવકુશમુનીએ આ રીતે પોતાનો વિડીયો વાયરલ કર્યો હતો. તો આ વીડિયોમાં લવકુશમુની દ્વારા PM મોદી પાસે ન્યાય અને રક્ષાની માંગણી કરતો વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં અમરેલીનાં ચાંદલિયા ડુંગરના મહંત ચોધાર આંસુએ રોતારોતા જણાવી રહ્યા છે કે, આ તેનો છેલ્લો વીડિયો છે અને હવે જો તેમને ન્યાય નહી મળે તો તે આત્મવિલોપન કરશે. આમ અમરેલીનાં ચાંદલિયા ડુંગરના મહંતે PM મોદીને જ આત્મવિલોપનની ચીમકી આપી દીધી છે. વીડિયોમાં અમરેલીનાં ચાંદલિયા ડુંગરના મહંત લવકુશમુની રાજકીય મોટા માથાનાં ત્રાસનાં કારણે માનસિક તાણમાં પણ દેખાય છે.
જુઓ શું કહ્યું અમરેલીનાં ચાંદલિયા ડુંગરના મહંત લવકુશમુની PM મોદીને
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.