@ધ્રુવ સોમપુરા, સુરત
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ બિલના વિરોધને પગલે આવતીકાલે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કર્યું છે.જેમાં દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ખેડૂતો સમર્થન જાહેર કર્યું છે.જેને લઈ સુરત ખાતે ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ ખાતે દક્ષિણ ગુ.ના ખેડૂત આગવવાનોની બેઠક મળી હતી.જેમાં ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરી આવતીકાલે જીલ્લા અને તાલુકા લેવલે બંધના કાર્યક્રમને સફળ બનાવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Inflation / હાય રે મોંઘવારી.. કોરોના અને લગ્નની સિઝનમાં આમ આદમી પિટાયો, …
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ બિલ સામે છેલા ઘણા સમય થી દીલ્હીમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે. જે હવે વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે જેમાં દેશના અનેક સામજિક સંગઠનો, રાજકીય પાર્ટીઓ અને ખેડૂત સંગઠનોએ ખેડૂતના વિરોધને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે આવતીકાલે કૃષિ બિલના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો આ બંધના એલાનમાં જોડાયા છે. ત્યારે ખેડૂત માટેના બંધના એલાનને સફળ બનાવવા સુરત ખાતે ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ પર દક્ષિણ ગુ.ના ખેડૂત આગેવાનોની બેઠક મળી હતી.
આંદોલન / કિસાન આંદોલનના પડઘા અમેરિકામાં પણ પડ્યા, ઘણા શહેરોમાં શીખ લો…
જ્યા આવતીકાલના ખેડૂત માટેના બંધના એલાનને સફળ કાઈ રીતે બનાવાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત આવતી કાલે જિલ્લા અને તાલુકા તાલુકા સુધી જુદી જુદી ખેડૂત આગેવાનોની ટીમ બનાવી લોકોને બંધના એલાનમાં જોડાવા ગાંધી ચિંધ્યા માર્ગે સમજવામાં આવશે અને બંધના એલાનને સફળ બનાવવા સંપૂર્ણ પ્રયાસ કરાશે.
સાથે સાથે ભારત બંધના એલનમાં સુરત આપનું પણ સમર્થન મળ્યું છે. આવતીકાલે સુરત આમઆદમી પાર્ટી ના કાર્યકર્તાઓ બંધમાં જોડાશે. બંધના એલાનને સફળ બનાવવા આમ આદમી પાર્ટી પ્રયાસ કરશે. …
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…