અમદાવાદમાં એક ફ્લેટમાં પરિણીત મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી છે.અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા બાલાજી અગોરા મોલ પાસેના પાર્શ્વનાથ એટલાન્ટિસ નામના ફ્લેટમાં ગુંજન શર્મા નામની મહિલાનું ગળુ કાપી હત્યા કરવામાં આવી છે.
હત્યારો એક વર્ષની બાળકીને બાજુના રૂમમાં પુરી મહિલાની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાર્શ્વનાથ એટલાન્ટિસ ફ્લેટના એચ બ્લોકના 201 નંબરના મકાનમાં સુધીર શર્મા તેમની પત્ની ગુંજન શર્મા એક વર્ષની દીકરી સાથે રહે છે. સુધીર શર્મા પાલડી ખાતે એક હોસ્પિટલમાં નોકરી કરે છે. સોમવારે સાંજે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરના મુખ્ય રૂમમાં પત્ની ગુંજન લોહી લુહાણ હાલતમાં પડી હતી, જ્યારે તેની નાની દીકરી ગાયબ હતી.
આ દ્રશ્ય જોતા જ તેમણે બૂમાબૂમ કરી હતી. સુધીર શર્માની બૂમાબૂમનો અવાજ સાંભળ્યા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ નાની દીકરી ચાર્વીને શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળ દરમિયાન બાજુના બંધ રહેલા એક રૂમમાંથી દીકરી મળી આવી હતી.
હાલ આ મામલે અડાલજ પોલીસે ચોરી કે અન્ય કોઈ કારણથી હત્યા થઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.