રાજ્યમાં હત્યાના ઘટના વધી રહી છે સામાન્ય બાબતે લોકો હત્યા કરવા પર ઉતરી આવે છે આવમાં વધુ કે સામાન્ય તકરારમાં ભાવનગરના બંદર રોડ પાસે વૈશાલી ટોકીઝ નજીક યુવકને જૂની અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી આવી હતી, હત્યા અંગેની તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ છગનભાઇ ચુડાસમા (35 ઉ)ને તેમના જ વિસ્તારમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીગામામા ધીરૂભાઇ બાંભણીયા સાથે અગાઉ થર્ટી ફસ્ટના રોજ ઝઘડો થયો હતો જેની દાઝ રાખી પ્રવિણભાઇ તથા તેના સાઢુભાઇ બંદર રોડ પાસે આવેલ વૈશાલી ટોકીઝથી પ્રેસ રોડ જવાના રસ્તે ઉભા હતા તે દરમિયાન આરોપી જીગ્નેશએ તેને છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી.
આ ઘટનાની જાણ પોલીસને કરાતા સીટી ડી.વાય.એસ.પી મનીશ ઠાકર સહિતનો પોલીસ કાફલો હોસ્પીટલે પહોંચીને મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.