અમદાવાદ,
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ મન્સૂરીની ચાલીમાં એઈડ્સ ગ્રસ્ત યુવકે આત્મહત્યા કરી છે. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. મળતી માહિતી અનુસાર સાસરીવાળા અને પત્ની તેને ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ લગાવમાં અવાયો છે.
આ ઘટનાની જાણ અમરાઈવાડી પોલીસેને થતાં યુવકની સાસુ, સાળો અને પત્ની સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ યુવક સતત સાસરીવાળા અને પત્ની અને પત્નીના ત્રાસ અને વિમારીના કારણે સતત તણાવમાં રહેતો હતો. યુવકના પ્રેમ લગ્નને 12 વર્ષ પૂર્ણ થવાના એક દિવસ પહેલા જ યુવકે આત્મહત્યા કરી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.