અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં 23 જાન્યુઆરીના રોજ તોફાની તત્વોએ ખુબ જ હંગામો મચાવ્યો હતો અને આગચંપી કરી હતી, હિમાલયા મોલના પાર્કિંગ તથા પીઝા પાર્લરમાં ટોળાએ તોડફોડ કરીને જાણે તેની આકૃતિ જ બદલી દીધી હતી.
આ ઉપરાંત પાર્કિંગમાં પડેલી ૩૫ જેટલા વાહનોને આગમાં ભસ્મીભૂત કરી દીધા હતા. હિમાલયા મોલ પર વધારે તોડફોડ થવાને લીધે પોલીસને બે રાઉન્ડ ફાયરીંગ કરવું પડ્યું હતું.
પદ્માવતી ફિલ્મને લઈને થઈ રહેલવા વિરોધને પગલે અમદાવાદનો હિમાલયા મોલ બંધ રાખવામાં આવ્યો છે. મોલની બહાર નટીસ લગાવવામાં કાયદો અને સુરક્ષાને ધ્યાનમાં રાખી મોલ બંધ રખવામાં આવ્યો છે.
તથા આ સ્થળે પોલીસના જવાનો સહિત SRPની ટીમ ખડે પગે તહેનાત કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, 23 જાન્યુઆરીના રોજ તોફાની તત્વોએ મોલ બહાર તોડફોડ કરી હતી જેથી હવે મેનેજ મેન્ટ દ્વારા મોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.