અમદાવાદ,
અમદાવાદના રાજપથ કલબમાં ગેરરીતિ આચરાતી હોવાની વિગતો સામે આવી છે. જેમાં કલબના કર્મચારીઓ દ્વારા 19 મૃતક સભ્યોની મેમ્બરશિપ બારોબાર વેચી દેવાયા હોવાનું સામે આવ્યું છે.
ભૂતિયા મેમ્બરોને ઉભા કરી ગેરરીતિ આચરી કરોડોની રકમ વસૂલ કરવામાં આવી છે. તેમ છતા કર્મચારી સામે ફોજદારી ગુનો સુધા દાખલ કરવામાં આવ્યો નથી. જેને લઈને કલબ સત્તાધિશો સામે સવાલો ઉભા થયા છે.
કલબ દ્વારા આ મામલાની તપાસ કરી ફિડલુ વાળી દેવાની હોય તેમ લાગી રહ્યું છે. આ બોગસ મેમ્બરશિપ પાછળ સભ્યોની નિણમૂક કરતી બેલેટીંગ કમિટી શુ પગલા લેશે તે જોવું રહ્યું.