Not Set/ મેટ્રો ટ્રેનના લોકાર્પણના આમંત્રણ કાર્ડમાંથી નીતિન પટેલનું નામ ગાયબ

અમદાવાદ, આમંત્રણ કાર્ડમાં નીતિન પટેલનું નામ ફરી એકવાર ગાયબ થઇ જતા રાજકીય વાતોનો વંટોળ ફરવા લાગ્યો છે. અમદાવાદમાં 4 માર્ચના રોજ વડાપ્રધાાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનનુ લોકાર્પણ કરશે.આ કાર્યક્રમની આમંત્રણ કાર્ડમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જોવા મળ્યુ ન હતુ.. ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આમંત્રણ કાર્ડમાં નામ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 59 મેટ્રો ટ્રેનના લોકાર્પણના આમંત્રણ કાર્ડમાંથી નીતિન પટેલનું નામ ગાયબ

અમદાવાદ,

આમંત્રણ કાર્ડમાં નીતિન પટેલનું નામ ફરી એકવાર ગાયબ થઇ જતા રાજકીય વાતોનો વંટોળ ફરવા લાગ્યો છે. અમદાવાદમાં 4 માર્ચના રોજ વડાપ્રધાાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનનુ લોકાર્પણ કરશે.આ કાર્યક્રમની આમંત્રણ કાર્ડમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જોવા મળ્યુ ન હતુ..

ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આમંત્રણ કાર્ડમાં નામ ન હોવાની ઘટના ફરી બની છે. આગામી 4 માર્ચે વડા પ્રધાન મોદી અમદાવાદ મેટ્રોના ફેઝ-1નું લોકાર્પણ કરવાના છે.

આ આમંત્રણપત્રિકામાં વડા પ્રધાન, રાજ્યપાલ, મુખ્ય મંત્રી, કેન્દ્રી મંત્રી હરદિપસિંહ પુરીના નામનો જ અતિથિ તરીકે ઉલ્લેખ છે. આ બાબત જાણી જોઈને કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

નીતિનભાઈ રાજ્ય સરકારમાં નંબર-2 પ્રધાન છે, આ આમંત્રણ પત્રિકામાં જાપાનના રાજદૂત, અને અમદાવાદના મેયરના નામનો પણ ઉલ્લેખ છે, પરંતુ નાયબ મુખ્ય મંત્રીનું નામ કપાયું છે.