અમદાવાદ,
આમંત્રણ કાર્ડમાં નીતિન પટેલનું નામ ફરી એકવાર ગાયબ થઇ જતા રાજકીય વાતોનો વંટોળ ફરવા લાગ્યો છે. અમદાવાદમાં 4 માર્ચના રોજ વડાપ્રધાાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનનુ લોકાર્પણ કરશે.આ કાર્યક્રમની આમંત્રણ કાર્ડમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જોવા મળ્યુ ન હતુ..
ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આમંત્રણ કાર્ડમાં નામ ન હોવાની ઘટના ફરી બની છે. આગામી 4 માર્ચે વડા પ્રધાન મોદી અમદાવાદ મેટ્રોના ફેઝ-1નું લોકાર્પણ કરવાના છે.
આ આમંત્રણપત્રિકામાં વડા પ્રધાન, રાજ્યપાલ, મુખ્ય મંત્રી, કેન્દ્રી મંત્રી હરદિપસિંહ પુરીના નામનો જ અતિથિ તરીકે ઉલ્લેખ છે. આ બાબત જાણી જોઈને કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
નીતિનભાઈ રાજ્ય સરકારમાં નંબર-2 પ્રધાન છે, આ આમંત્રણ પત્રિકામાં જાપાનના રાજદૂત, અને અમદાવાદના મેયરના નામનો પણ ઉલ્લેખ છે, પરંતુ નાયબ મુખ્ય મંત્રીનું નામ કપાયું છે.