Not Set/ શિક્ષણ વિભાગની બેદરકારી આવી સામે ગરીબ વિધાર્થીઓની 5000 સાયકલો ખાય છે ધૂળ

આણંદ, આણંદમાં જિલ્લા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ સરકાર દ્વારા શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 2015માં સરકાર દ્વારા 5000 સાયકલો વિતરણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ પૂરી પાડવામાં આવી નથી. તેમજ આ તમામે તમામ સાયકલો બોરસદમાં આવેલી વઘવાલા શાળામાં […]

Top Stories

આણંદ,

આણંદમાં જિલ્લા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ સરકાર દ્વારા શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 2015માં સરકાર દ્વારા 5000 સાયકલો વિતરણ કરવામાં આવી હતી.

પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ પૂરી પાડવામાં આવી નથી. તેમજ આ તમામે તમામ સાયકલો બોરસદમાં આવેલી વઘવાલા શાળામાં પડી પડી ધૂળ ખાઇ રહી છે.

તો આ જોતા લાગી રહ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓને સાયકલ પૂરી પાડવાની કોઇ દાનત જ નથી. મહત્વનું છે કે, આ ઘટના પ્રકાશમાં આવતાં જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો સંપર્ક કર્યો હતો. પરંતુ એકપણ ફોન ઉપાડવામાં આવ્યો ન હતો.