ભરૂચમાં ગેસ ગળતર થયું હોવાની ઘટના બની છે. જેમાં બે ના મોત નિપજ્યા છે. ભરૂચની જીઆઇડીસી ઓમ પાનેલી ડાયકેમ કંપનીમાં ગેસ ગળતર થયું હતું..
આ કંપનીમાં રિએકટરની સફાઇ કરવા માટે બે કામદારો ઉતર્યા હતા. આ દરમિયાના ગેસ ગળતર થવાથી બે કામદારોના મોત નિપજ્યા હતા. જેને પગલે અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

