અપીલ/ ધૈર્ય રાખો કોરોના જલ્દીથી નિયત્રણમાં આવશે, માસ્કના પૈસામાં સરકારને રસ નથી : CM વિજય રૂપાણી

રાજ્યમાં વકરી રહેલા કોરોના સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીએ આજે સાંજે 6 કલાકે પોતાના સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ફેઇસ બુક માધ્યમ થી રાજ્યના નાગરિકોને સંબોધન કર્યું છે.

Top Stories Gujarat Others Trending
election 8 ધૈર્ય રાખો કોરોના જલ્દીથી નિયત્રણમાં આવશે, માસ્કના પૈસામાં સરકારને રસ નથી : CM વિજય રૂપાણી

રાજ્યમાં વકરી રહેલા કોરોના સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીએ આજે સાંજે 6 કલાકે પોતાના સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ફેઇસ બુક માધ્યમ થી રાજ્યના નાગરિકોને સંબોધન કર્યું છે. જેમાં તેમણે લોકડાઉન અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઇ પ્રકારનું લોકડાઉન આવશે નહીં. કોઇ પ્રકારની અફવા પર ધ્યાન આપવું નહીં. સરકારના કાર્યમાં પ્રજા સહકાર આપે .

ટેસ્ટિંગ વધારાયું, રસીકરણનું આયોજન થયું

હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારાઇ

કોરોનાને નિયત્રંણમાં લેવા પ્રયાસો કર્યા અને કરશે

HCના આદેશથી માસ્કના દંડની વસુલાત

માસ્કના પૈસામાં સરકારને રસ નથી

તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે આ અગાઉ જ્યારે કોરોના નો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ ઉપાયોને જનતા જનાર્દને સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોના નું   ઓછામાં ઓછું  સંક્રમણ થાય તેવી સ્થિતિ  સર્જી હતી

હવે આ વખતે પણ ફરી સંક્રમણ દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ  વધ્યું છે ત્યારે  કેટલાક નિયંત્રણો સરકારે લાદવા પડ્યા છે. લોકોએ અફવાઓ થી ગભરાવાની કોઈ જરૂર નથી. મુખ્યમંત્રી તરીકે એવો વિશ્વાસ આપ્યો કે રાજ્ય માં ફરીથી લોક ડાઉન આવવાનું નથી. કોરોના ને કારણે  સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાની નથી. એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈ ને જલ્દી પાછા જાય તે માટે પણ  યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે

 કોરોનાનું આ સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે સરકારે થોડાંક પગલાંઓ લેવાં પડ્યાં છે.  મહાનગરોમાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું છે. તો ઓનલાઇન શિક્ષણ આપણે ચાલું જ રાખ્યું છે કેટલાક મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારવો પડ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટ્સ પર અમુક અંકુશો લાદવા પડ્યા છે.

ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા આ આકરા પગલા રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે. જનતાને થોડું બંધિયાર મહેસૂસ થશે. પરંતુ, આ કરવું જરૂરી હતું. જાહેર-જનતાને કોરોનામાં ઓછામાં ઓછી તકલીફ પડે, લોકોને હેરાન ન થવું પડે, ઘંઘા-રોજગાર પર અસર ન પડે એની ચિંતા આ સરકારે કરી છે અને આગળ પણ કરતી રહેવાની છે.

ત્યારબાદ સંક્રમણ થોડું વધ્યું હતું, ત્યારે આપણે પાછા સાવચેત થયા હતા, જરૂરી પગલાં લીધાં હતાં અને સંક્રમણ ઘટાડ્યું હતું એટલા જ માટે આપણે ભૂતકાળમાં કોરોના સામેની લડાઈમાં સફળ રહ્યા છીએ. કોરોનાના સંક્રમણકાળમાં અગાઉ લેવામાં આવેલા અનેક પ્રયાસોની પ્રશંસા સુપ્રીમ કોર્ટ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને આઇઆઇએમ (IIM) જેવી અનેક સંસ્થાઓએ પણ કરી હતી.

મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી કોરોના સામે ની લડાઈ માં સરકારે જે જે નિર્ણયો કર્યા તેને રાજ્યની  જનતા એ પૂરો સહયોગ અને સમર્થન આપ્યા જ છે. હવે જ્યારે ફરીથી કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે જાહેર જનતા પાસેથી અગાઉ જેવી જ સાવચેતી અને સહકારની અપેક્ષા  સરકાર રાખી રહી છે

એક બાજુ રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ્સ અને તમામ પ્રકારની જરૂરી દવાઓ ઉપલબ્ધ પણ કરાવી દેવામાં આવી છે.  બીજી બાજુ વેક્સિનેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

હવે નવું કોઈ લોકડાઉન થવાનું નથી, કોઈના ધંધા-રોજગાર બંધ થવાના નથી. થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવાનું છે. કોઈએ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવાનો નથી કે ગભરાવાની બિલકુલ જરૂર નથી એ વાત તેમણે ભાર પૂર્વક દોહરાવી હતી.

 માસ્કના દંડ ના પૈસા રૂપિયામાં સરકારને કોઇ રસ નથી.  આપણે તો માસ્ક ન પહેરનારા લોકો પાસેથી હાઇકોર્ટના આદેશ અનુસાર રૂપિયા 1000 દંડ લઇ રહ્યા છીએ. સૌને એવી અપીલ પણ કરી કે રાજ્યમાં કોઈને માસ્ક ના પહેરવા નો દંડ જ ન ભરવો પડે.