દિવાળી બાદ વકરેલો કોરોના વાઈરસ પોતાની ગતિ માં ઘટાડો કરી રહ્યો હોય તેમ લાગે છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં ધીમી ગતિનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના 1110 નવા કેસ નોધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 229313 પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1236 છે.
જે સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 212839 થઇ છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12881 છે.
*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગતો *